Saturday, June 29, 2013


  • લક્ઝરી ગાડી દ્વારા પહાડો અને તીર્થ સ્થળો પર પીકનીક મનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગયેલા લોકો પોતાને શ્રધ્ધાળુ કહી રહ્યા હતા અને હવે ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, ધિક્કાર છે એમના પર .
    શાસ્ત્રો અનુસાર તીર્થો પર પગપાળા જવાનું વિધાન છે, પાંડવો પણ ઋષિકેશ થી કેદાર પગપાળા ગયા હતા, અને અત્યારે 30-40 વર્ષ પૂર્વ સુધી લોકો આ પરંપરા નો નિભાવ કરતા હતા અને કેદાર જતી વેલા પોતાના પરિજનોને - મિત્રગણોને એટલે અવશ્ય કહી જતા હતા કે "અમે/હું,  કેદાર જઈ  રહ્યા/રહ્યો છીએ/છુ, નથી જાણતા પાછા ફરીશું/ફરીશ", મૃત્યુની સંભાવનાને પહેલાથી માનીને એનાથી નિર્ભય થઇ ને કેદાર દર્શન માટે જતા હતા .
    પણ આજે લોકો એટલા મૂરખા થઇ ગયા છે કે તીર્થ ને પર્યટન સ્થળા માની બેઠા છે અને એ વિચારીને કેદાર આવે છે કે ભગવાન નાં દર્શન પણ કરી લઈશું અને ફરી પણ લઈશું . સાચું તો એ છે કે તેઓ ફરવાનેજ પ્રધાનતા આપે છે, દર્શન તો એક વધારેનો વિકલ્પ માત્ર છે અન્યથા આટલી હોટલો એમજ ખીચોખીચ ભરેલી ના હોય .
    જો આપણે ધર્મ ની રક્ષા કરીશું, તો ધર્મ સદૈવ આપણી રક્ષા કરશે 
     
     
    "लग्ज़री" गाड़ी से पहाड़ों एवं तीर्थ स्थलों में पिकनिक बनाने के उद्देश्य  से गये लोग जो अपने को श्रद्धालु कह रहे थे और अब ईश्वर के अस्तित्व पर प्रश्न उठा रहे हैं उन पर धिक्कार है। 
    शास्त्रानुसार तो तीर्थों में पैदल जाने का ही विधान है, पांडव भी ऋषिकेश से केदार पैदल ही गए थे, और अभी ३०-४० वर्ष पूर्व तक लोग इसी परम्परा को मानते थे और केदार जाते वक़्त अपने परिजनों-मित्रगणों से ये अवश्य कह जाते थे कि "हम केदार जा रहे हैं, न जाने वापस आयेंगे या नहीं ", मृत्यु को पहले ही संभावना मान उस से निर्भय हो कर ही केदार दर्शन को जाते थे ।
    किन्तु आजकल लोग इतने मूर्ख होगये हैं कि तीर्थों को पर्यटन स्थल मान बैठे हैं और ये सोचकर केदार आते हैं कि भगवान् के दर्शन भी कर लेंगे और घूम भी लेंगे । सत्य तो ये है कि वो घूमने को ही प्रधानता देते हैं , दर्शन तो एक अतिरिक्त विकल्प मात्र है अन्यथा इतने होटल्स यूं ही खचाखच नहीं भरे रहते ।

    अगर हम धर्म की रक्षा करोगे, तो धर्म हमारी  सदैव रक्षा करेगा ।
     
     

Saturday, June 22, 2013

મન : 
મન એ આત્મા ની આશ્ચર્યજનક શક્તિ છે . શરીર ની અંદર હું ના રૂપ માં "હું" ઉદિત થાય છે, એ મન છે . જયારે સુક્ષ્મ મન, મસ્તિષ્ક અને ઈન્દ્રીઓ દ્વારા બહિર્મુખી થાય છે એ સ્થૂળ નામ, રૂપ ની ઓળખ હોય છે . જ્યારે એ હૃદય માં રહે છે ત્યારે  નામ, રૂપ વિલુપ્ત થઇ જાય છે . જો મન હૃદય માં રહેતું હોય તો "હું" કે અહંકાર જે સમસ્ત વિચારો નો સ્ત્રોત છે, નીકળી જાય છે અને ફક્ત આત્મા અથવા વાસ્તવિક શાસ્વત "હું" પ્રકાશિત થશે . જ્યાં અહંકાર લેશ્માય્રા નથી હોતો ત્યાં આત્મા છે .
..............મહર્ષિ રમણ
मन:

मन आत्मा की आश्चर्यजनक शक्ति है | शरीर के भीतर जो मैं के रुप “में” उदित होता है, वह मन है | जब सूक्ष्म मन, मस्तिष्क एवं इन्द्रियों के द्वारा बहिर्मुखी होता है तो स्थूल नाम, रुप की पहचान होती है | जब वह हृदय में रहता है तो नाम, रुप विलुप्त हो जाते है| यदि मन हृदय में रहता है तो ‘मैं’ या अहंकार जो समस्त विचारों का स्रोत है, चला जाता हैं और केवल आत्मा या वास्तविक शाश्वत ‘मैं’ प्रकाशित होगा| जहाँ अहंकार लेशमात्र नहीं होता, वहाँ आत्मा है|
...........महर्षि रमण
 

Thursday, June 20, 2013

વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ - 1

 વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ -- 1

          વેદનો અર્થ  જ્ઞાન . જ્ઞાનના ચાર વિભાગ છે ૠક, યજુ:, સામ અને અથર્વ . કલ્યાણ પ્રભુપ્રાપ્તિ, ઈશ્વરદર્શન, દિવ્યત્વ, આત્મશાંતિ, બ્રહ્મનિર્માણ, ધર્મભાવના, કર્તવ્યપાલન, પ્રેમ, તાપ, દયા ઉપકાર, ઉદારતા સેવા આદિનો 'ૠક્' માં સમાવેશ્ગ થાય છે . પરાક્રમ, પુરુષાર્થ, સાહસ, વીરતા, રક્ષણ, આક્રમણ, નેતૃત્વ, યશ, વિજય, પદ, પ્રતિષ્ઠા એ બધા 'યજુ:' માં આવે છે . મનોરંજન, સંગીત, કળા, સાહિત્ય, સ્પર્શેન્દ્રીયોના સ્થૂળ ભોગોનું ચિંતન, પ્રિય, કલ્પના, રમતો, ગતિશીલતા, રૂચી, તૃપ્તિ આદિને 'સામ' માં સ્થાન આપવામાં આવ્યું છે . ધન, વૈભવ, વસ્તુઓનો સંગ્રહ, શાસ્ત્ર, ઔષધી, અન્ન, વસ્ત્ર, ધાતુ, ગૃહ, વાહન આડી સુખસાધાનોની સામગ્રીઓ એ 'અથર્વ' નાં પ્રદેશમાં આવે છે .
          કોઈ પણ જીવતા પ્રાણી ને લો, એની સુક્ષ્મ અને સ્થૂળ, બહારની અને અંદરની ક્રિયાઓ અને કલ્પનાઓનું ગંભીર અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો, તો તમને જણાશે કે આ ચાર ક્ષેત્રોમાં જ એની સમસ્ત ચેતના પરિભ્રમણ કરી રહી છે (1) ૠક-કલ્યાણ (2) યજું:-પૌરુષ (3) સામ-ક્રીડા (4) અથર્વ-અર્થ . આ ચાર દિશાઓ સિવાય પ્રાણીઓ ની ગ્યાન્ધારા બીજે ક્યાય પ્રવાહિત થતી નથી . ૠક્ ને ધર્મ, યજું: ને મોક્ષ, સામને કામ અને અઠર્વાને અર્થ પણ કહેવામાં આવે છે . એજ બ્રહ્માજીના ચાર મુખ છે . બ્રહ્માને ચતુર્મુખ એટલા માટે કહે છે કે, એ એકમુખ હોવા છતાં પણ ચાર પ્રકારની જ્ઞાનધારા નું નિષ્ક્રમણ કરે છે . વેદ શબ્દનો અર્થ છે 'જ્ઞાન' . એ રીતે એકજ છે, પરંતુ એક હોવા છતાં પણ પ્રાણીઓના અંતઃકરણ તે ચાર પ્રકારે જોવામાં આવે છે . એ માટે વેળા ને સગવડ ખાતર ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે . ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓ પણ એજ છે . આ ચાર વિભાગોને ક્રમ પ્રમાણે સમજાવવા ચાર આશ્રમો અને ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી છે . બાળક ક્રીડાવસ્થામાં, તરુણ અર્થાવસ્થામાં, વાનપ્રસ્થ પૌરુષાવસ્થામાં અને સન્યાસી કલ્યાણવસ્થામાં રહે છે . બ્રાહ્મણ ૠગ્ છે, ક્ષત્રીય યજું: છે, વૈશ્ય અથર્વ છે, શુદ્ર સામ છે . આ પ્રકારે વેદના ચાર ભાગ પાડવામાં આવ્યા છે .
           ચારે પ્રકારનું જ્ઞાન એકજ ચૈતાન્ય્શક્તિ નું પ્રસ્ફૂરણ છે . એને સૃષ્ટિના આરંભ માં જ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી અને એને જ શાસ્ત્રકારોએ ગાયત્રી એવું નામ આપ્યું છે . આ પ્રમાણે ચાર વેદની માતા ગાયત્રી થઇ . તેથી એને વેદમાતા પણ કહેવામાં આવે છે . જેમ જલતત્વ બરફ, વરાળ, (વાદળ, ઝાકળ આદિ) વાયુ (હાઈડ્રોજન, ઓક્શીજન) તથા પાતળા પાણીના રૂપમાં, એમ ચાર રૂપોમાં જોવામાં આવે છે, જેમ અગ્નિતત્વ જ્વાલા ગરમી, પ્રકાશ તથા ગતિના રૂપમાં જોવામાં આવે છે, એજ પ્રકારે એક 'જ્ઞાન ગાયત્રી' નાં ચાર રૂપોમાં દર્શન કરવામાં આવે છે . ચાર વેદો તો ગાયત્રી માતાના ચાર પુત્રો છે .
          આ તો થયું સુક્ષ્મ ગાયત્રીનું, સુક્ષ્મ વેદ્માતાનું સ્વરૂપ . હવે તેના સ્થૂળ રૂપનો વિચાર કરીશું . બ્રહ્માએ ચાર વેદની રચના કરતા પહેલા ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી। એ એક મંત્ર્નેક એક અક્ષરમાં એવા સુક્ષ્મ તત્વો સમાવવામાં આવ્યા, જેમના પલ્લવિત થયા પછી ચાર વેદોની શાખા, પ્રશાખાઓ તથા શ્રુતિઓ ઉત્પન્ન થઇ . એક વડના બીજના  ગર્ભમાં વાળનું મહાન વૃક્ષ છુપાયેલું હોય છે . જ્યારે એ બીજ રોપના રૂપમાં ઉગે છે,  વૃક્ષના રૂપમાં મોટું થાય છે, ત્યારે એ અસંખ્ય ડાળીઓ, પાંદડા, ફળ ફૂલ આદિથી લડાઈ જાય છે . એ બધાનો એટલો મોટો વિસ્તાર થાય છે કે એ વિશાલ વૃક્ષ વાદ્બીજ્ના કરતા કરોડો, અબજો ગણું મોટું થાય છે . ગાયત્રીના 24 અક્ષરો પણ એવુજ બીજ છે, જે પ્રસ્ફુટિત થઈને વેદોના મહા વિસ્તારના રૂપમાં પ્રગટ થયું છે .
          વ્યાકરણ શાસ્ત્રનો ઉદ્ગમ શંકરજીના એ ચૌદ સુત્રો છે, જે એમના દમાંરુમાથી નીકળ્યા હતા . એક વાર મહાદેવજીએ આનંદમગ્ન થઈને પોતાનું પ્રિય વાદ્ય ડમરું વગાડ્યું . એ ડમાંરુ માથી  ચૌદ ધ્વની નીકળ્યા . એ (અ ઈ ઉ ણ, ૠલૃક્, એઓડ્, ઐઔચ, હયવરટ, લણ  વગેરે) ચૌદ સુત્રોને આધારે પાણીની મુનીએ  રચ્યું . એ રચના થયા પછી એની વ્યાખ્યાઓ થતા આજે એટલું મોટું વ્યાકારાન્શાસ્ત્ર તૈયાર થયું છે, જેનું એક મોટું સંગ્રહાલય બની શકે . ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાંથી આ રીતે વૈદિક સાહિત્યના અંગઉપાંગો નો જન્મ થયો છે . ગાયત્રી સૂત્ર છે, તો વૈદિક ૠચાઓ એની વિસ્તૃત વ્યાખ્યાઓ છે .
-----  (ગાયત્રી મહાવિજ્ઞાન - વેદમૂર્તિ તપોનિષ્ઠ પં શ્રીરામ શર્મા આચાર્ય )

Sunday, June 9, 2013

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા 
આજે વિધિ ની વક્રતા એ છે કે આપણે આપણી જાતને હિંદુ કહેવડાવીએ છીએ પણ અને એવું સમજીએ છીએ કે રોજ સવારે અને સાંજે ઘરમાં દીવો - અગરબત્તી કરી દીધા ભાગનની મૂર્તિ કે ફોટા પર ફૂલ ચઢાવી દીધા એટલે આપનું હિન્દુત્વ સાબુત આપણે હિંદુ તરીકેની ફરજ પૂરી કરી દીધી . આ થી વધી આપણે કોઈ મંદિરમાં જઈ સોમવારે શંકર ભગવાનને દૂધ અને પાણી રેડી દીધું, ગુરુવારે શ્રી જલારામ બાપાના કે શ્રી સાઈ બાબા ના મંદિરમાં જઈએ શનિવારે હનુમાનજી ને તેલ અડદ અને આંકડો ચઢાવ્યા એટલે આપણી ફરજ પૂરી .
નાં નાં અને નાં ફરજ અહી પૂરી થતી નથી કારણ આપણે કેટલા ને ખબર છે કે યજ્ઞ કેવી રીતે થાય પૂજા કેવી રીતે થાય એને વિશેની જે ખોટી માન્યતાઓ છે જેને આપના કરતા હિંદુ ધર્મ સિવાયના લોકો એની મજાક કરે છે કે તમારે તો આમ તમારે તો તેમ . આવા સમયે આપ શું કરી શકો કઈ ની અને પછી ગાળો દેવાની આપના વિદ્વાનો ને આપના શાસ્ત્રોને પણ કોઈ વાર એ શું છે વાસ્તવિકતા શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? મોટા ભાગના લોકો નાં માજ જવાબ આપશે . એનું એકજ કારણ છે આપણે હંમેશા બધી વસ્તુ તૈયાર લેવાની અડત પાડી દીધી છે, કથાકારો સંતો જે કહેશે એને માની લેવાનું અંધાલા થઈને શા માટે એ વાતો નો યથાર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા .
આજે  હું અહી એક પ્રયાસ કરું છું કે અમુક બાબતો જેવી કે આજકાલ સંપૂર્ણ વિશ્વમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે ત્યારે આપણે મોટે પાયે માંસાહારને સ્વીકારી રહ્યા છીએ અને જ્યારે એ વિષે કશું કહેવામાં આવે ત્યારે એવો તર્ક આપવામાં આવે કે આપના શાસ્ત્રો માં પણ લખ્યું છે કે યજ્ઞો માં અને આપના પૂર્વજો પણ માંસાહાર કરતા હતા જે તદ્દન જુઠ્ઠાણું છે એ શું છે એ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયાસ કરીશ આશા છે તમે એને વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો .

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --4

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --4
          વેદમાં 'મેધ' શબ્દ 'યજ્ઞ' નો પર્યાય છે . નિઘણ્ટુ માં યજ્ઞના 15 નામો આપવામાં આવેલ છે . એમાં 'અધ્વર' તથા 'મેધ' પણ ઉમેરેલા છે . 'અધ્વર' નો શાબ્દિક અર્થ કરવામાં આવે તો થાય છે-- 'ध्वरति वधकर्मा'  'न ध्वरः इति अध्वरः' અર્થાત હિંસાનો નિષેધ કરનારું કર્મ . 'મેધ'શબ્દનો ઉપયોગ ત્રણ સંદર્ભમાં કરી શકાય છે . (1) મેધા સંવર્ધન  (2) હિંસા  (3) સંગમ, સંગતીકરણ, એકીકરણ, સંગઠન . જે હોય તે, પણ યજ્ઞ જ્યારે 'અધવર' છે, તો એ પ્રકરણમાં 'મેધ' નો અર્થ હિંસા તો હોઈ શકેજ નહિ . 'મેધા' સંવર્ધન' અને સંગતીકરણ' નાં સંદર્ભમાંજ,લેવો ઉચિત છે . એ સર્વમાન્ય છે કે, વેદોનું ચાર ભાગોમાં સંપાદન 'વેદવ્યાસજી' એ કર્યું . તેઓ યજ્ઞમાં હિંસાનો નિષેધ કરતા સ્પષ્ટ લખે છે .
            सुरामत्स्या मधुमांसमासवं कृसरौदनम् |
                   धूर्तैः प्रवर्तितं ह्येतन्नैतद् वेदेषु कल्पितम् ||    
(મહાભારત શાંતિપર્વ 265.9)
          દારુ, માછલી, પશુઓનું માસ, દ્વિજાતીયોનું  (પક્ષીઓનું) બલિદાન વગેરે ઠગો દ્વારા યજ્ઞમાં ચાલુ થયું-- પ્રવાર્ત્યું, વેદોમાં આવી રીતનું વિધાન નથી . જે હોય તે પણ મેધનો હિંસાપરક અર્થ કરવાનો આગ્રહ કોઈપણ વિવેક્શીલે ન કરવો જોઈએ . યજ્ઞ જેવી પારમાર્થિક પ્રક્રિયાને આવા લાન્છાનથી દુર રાખાવીજ, ઘણું ઉચિત છે -- હિતકારક છે .
          યજુર્વેદતો યજ્ઞપરક કહેલો છે . દર્શપૂર્ણમાસ, સોમયજ્ઞ, અગ્નિષ્ટોમ, વાજપેય,રાજસૂય, સૌત્રાની, વગેરે યજ્ઞોમાં યજુર્મન્ત્રોનો વિનિયોગ થાય છે . 'મેધ' સંબોધન સહીત, જે યજ્ઞો નું પ્રકરણ એમાં છે એ છે -- અશ્વમેધ, પુરુષમેધ, સર્વમેધ તથા પિતૃમેધ વગેરે . એમાં પણ 'મેધ' નો હિંસાપરક  અર્થ સાબિત થતો નથી . અગર મેધનો અર્થ વધ હોય તો 'પિતૃમેધ' કેવી રીતે સંભવ છે? પિતૃઓના શરીરતો પહેલેથીજ પુરાં (સમાપ્ત) થઇ ગયેલા હોય છે . સર્વમેધમાં, આત્માને પરમાત્મામાં સમર્પિત કરીને, મુક્તિ પ્રાપ્ત કરવાને સર્વ્મેધ કહેવામાં આવેલ છે . પુરુષમેધમાં, આદર્શ સમાજ વ્યવસ્થા અંતર્ગત, કયા પ્રકારની વ્યક્તિને ક્યાં  નિયોજિત કરવામાં આવે, એનું વર્ણન છે .
          બત્રીસમા અધ્યાયમાં 'આલભન' શબ્દ નો ઉપયોગ થયો છે . મેધની જેમજ આલભન શબ્દનો પણ અર્થ વધ થાય છે, પરંતુ તેનો માન્ય અર્થ, પ્રાપ્ત કરવું, જોડાવું વગેરે પણ છે જે ગણો તે પણ 'અધવર' વધરહિત  યજ્ઞ કર્મમાં એનો પણ હિંસાપરક અર્થનો, આગ્રહ કરવો જોઈએ . આ સંદર્ભમાં સનાતની, આર્યસમાજી, બધી ધારાઓના વિદ્વાનો એકમત થઇ ચુક્યા છે કે 'મેધ' અને 'આલભન' નો હિંસાપરક  અર્થ યજ્ઞીય સંદર્ભમાં તો ન જ લેવાવો જોઈએ .

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --3

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --3
અશ્વ ---
          અશ્વ સમ્બોધન લૌકિક સંદર્ભમાં ઘોડાસને માટે વપરાય છે . પરંતુ ગુનાવાચક સંજ્ઞા રૂપમાં એનો અર્થ થાય છે ' अश्नुते अध्वानम् '  (તીવ્ર ગતિવાળો ) 'अश्नुते व्याप्नोति' (ઝડપથી સર્વત્ર સંચારિત થનારો) તથા  'बहु अश्नातिति अश्वः' (ઘણો આહાર કરનારો હોવાથી અશ્વ સંજ્ઞા આપવામાં આવે છે) વગેરે .
          આ પરિભાષા અનુસાર વેડે કિરણોને, અગ્નિને, સૂર્યને, અને ત્યાં સુધીકે ઈશ્વરને પણ, અશ્વની સંજ્ઞા આપેલી છે . જુઓ -- 'सौर्योवा अश्वः'  (ગોપથ બ્રાહ્મણ  2.3.19) સૂર્યનું સુર્યત્વ (તેજ) અશ્વ છે . 'अग्निर्वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 3.6.2.5) આગ્ની  અશ્વ છે . 'अश्वो न देववाहनः' (ઋગ્વેદ 3.27.14) અશ્વ (અગ્નિ) દેવોનું વાહન છે . 'असौ वा आदित्योश्वः'  (તૈતરીય બ્રાહ્મણ 3.9.2.3.2) આ આદિત્ય અશ્વ છે . 'अश्वो यत् ईश्वरो वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 13.3.3.5) 'આખા - સંપૂર્ણ - સંસારમાં સંચારિત થવાના કારણે, ઈશ્વર પણ અશ્વ છે .
          બૃહદારણ્યક ઉપનિષદ (1.1.1) માં કહેવામાં આવેલ છે--- 'ઉષા' યજ્ઞ સંબંધી અશ્વનો શીરોભાગ છે, સૂર્ય આંખો છે, વાયુ પ્રાણ છે,વૈશ્વાનર અગ્નિ એનું ખુલ્લું મુખ છે, અને સંવત્સર યજ્ઞીય અશ્વનો આત્મા છે . દ્યુ લોક એનો પૃષ્ઠ ભાગ છે, અંતરીક્ષ ઉદાર છે, પૃથ્વી પગ રાખવાનું સ્થાન છે, દિશાઓ પાર્શ્વ ભાગ છે, દિશાના ખુણાઓ પાંસળીઓ છે, ઋતુઓ અંગ છે, માસ અને અર્ધ્માસ, પર્વ (સંધીસ્થાન) છે, દિવસ અને રાત્રી પ્રતિષ્ઠા (પગ) છે . નક્ષત્ર હાડકા છે . આકાશ (આકાશાસ્થ મેઘ) માંસ છે-- એમનું બગાસું ખાવું , વીજળીનું ચમકવું છે, અને શરીર હલાવવું મેઘનું ગર્જન છે . આ ઉપનિષદ વાકાનથી શું 'અશ્વ' નામનું કોઈ પશુ હોઈ શકે? જરૂર આ અશ્વ સંબોધન, કોઈ પશુને માટે નહિ, સૂર્યના તેજ અથવા યજ્ઞીય ઉર્જાને માટે જ હોય શકે છે . એ રીતે 'अय - सोमो वृष्णो अश्वस्य रेतो' (યજુર્વેદ 23.62) આ સોમ વર્ષણ વૃષ્ટિ કરનારા અશ્વનું રેતસ્ (તેજ) છે . આ ઉક્તિમાં 'અશ્વ' સૂર્ય અથવા મેઘને જ કહી શકાય છે .
          ઘોડા માટે પ્રયુક્ત બીજું સંબોધન પણ વેદમાં છે, [અરંતુ એ બધા ગુણવાચક સંજ્ઞાના રૂપમાં, વ્યાપક અર્થોમાજ વપરાય છે . જેમકે-- અર્વા અથવા અર્વન્ નો અર્થ થાય છે --ચંચળ . 'વાજી' નો અર્થ થાય છે-- વીર્યવાન્ . 'અત્ય' નો અર્થ થાય છે-- અતિક્રમણ કરી નાખનારા, ઓળંગી જનારા . આ બધા સંબોધન અગ્નિને માટે વપરાય છે . 'अग्निर्वा अर्वा' (તૈતરીય બ્રાહ્મણ 1.3.6.4) અગ્નિજ 'અર્વા' છે થી, આ ભાવ સ્પષ્ટ થાય છે .
          એ રીતેજ 'અજા'  બકરો નહિ પણ 'वाक् वा अजः' (શતપથ બ્રહ્માન 7.5.2.21) વાણી અજ છે 'आगनेयो  वा अजः' (શતપથ બ્રાહ્મણ 6.4.4.15) અગ્નિથી ઉત્પન્ન (ધુમ્ર વગેરે) અજ છે .
          અવી 'ઘેટા' ને પણ કહે છે, અને રક્ષણ ક્ષમતા ને પણ . શતપથ બ્રાહ્મણ 6.1.2.33 માં કહેવામાં આવેલ છે કે, આ પૃથ્વી આવી છે, કારણ કે એ પ્રજાઓનું રક્ષણ કરે છે . યજુર્વેદ 1.3.44 માં ઋષિ કહે છે-- "હે અગ્નિદેવ ! ઉત્તમ આકાશમાં સ્થાપિત, વિભિન્ન રૂપોનું, નિર્માણ કરનારી, વરુણની નાભીરૂપ, ઊંચા આકાશથી ઉત્પન્ન અસંખ્યોનું રક્ષણ કરનારી, આ મહિમામયી 'અવિ' ને હિન્સિત નાં કરો ," ચોખ્ખુજ છે કે, ઉક્ત અવિ  'ઘેટું' નામનું  કોઈ પશુ હોઈ શકેજ નહિ . એને પૃથ્વીની રક્ષા કરનારું આયનોસ્ફિયર (અયનમંડળ ) અથવા પર્યાવરણ ની સુરક્ષાને પ્રાકૃતિક વ્યવસ્થા કહેવું, વધારે યુક્તિસંગત લાગે છે .
          આ રીતે, વેદને દ્રષ્ટીએ અનેક સંબોધનો-શબ્દોના અર્થ, આ ભાષાનુવાદમાં આવી દ્રષ્ટિ એ કરવામાં આવેલ છે,

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ -- 1

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ -- 1
          લૌકિક સંદર્ભમાં સંજ્ઞાઓ, સંબોધનોનો મોટો ભાગનો ઉપયોગ, વ્યક્તિ પરાક અથવા જતીપારક થાય છે . જેમ કે 'ઇન્દ્ર' થી કોઈ વ્યક્તિ અથવા દેવતાનું નામ અને 'ગૌ' અથવા 'અશ્વ' થી, જાતી વિશેષવાળા  પશુઓના નામની જાણકારી મળે છે, પરંતુ વેદનો ક્રમ એનાથી જુદો છે . ત્યાં સંજ્ઞાઓ ગુનાવાચક યા ભાવવાચક અર્થોમાં વપરાય છે . વ્યક્તિ અથવા જાતિવાચક અર્થ એના માટે તો થઇ શકે છે પરંતુ એ અર્થ, વેદમંત્રોના સ્વાભાવિક પ્રવાહમાં સ્થાપિત થઇ શકતા નથી .
          યજુર્વેદમાં સ્થાને-સ્થાને દેવતાઓ, ગૌ, અશ્વ, વાજી, અજા, આવી, ઇષ્ટકા વગેરે સંબોધનો વપરાયા છે . એ બધા અનેકાર્થક શબ્દ છે, તથા એમના જો ગુણ કે ભાવ પરાક અર્થ લેવામાં આવે, વ્યક્તિ અથવા વસ્તુપરક અર્થોનો પૂર્વાગ્રહ ન રાખવામાં આવે, તો વેદમંત્રોના અર્થ વધારે સ્વાભાવિક અને ગરિમામય બની જાય છે . કેટલાક સમીક્ષાત્મક ઉદાહરણો દ્વારા આ તથ્ય સુવિધાપૂર્વક સમજી શકાય છે .
દેવતા-
          આજની ધારણા એવી છે કે, ઇન્દ્ર, યમ, વિષ્ણુ, રુદ્ર વગેરે કોઈ સુક્ષ્મ દેહધારી દેવતા છે . પૌરાણિક સંદર્ભમાં એ માનવામાં આવે તો બરાબર પણ છે, પરંતુ વેદમાં તો એમને વિશિષ્ટ શક્તિધારાઓ - દિવ્ય પ્રવૃત્તિઓના રૂપમાં લેવામાં આવેલ છે .
          કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ ઘરમાં સ્વામી, કાર્યક્ષેત્રમાં ડોક્ટર અથવા વકીલ તથા રમતના મેદાનમાં ખેલાડી અથવા કેપ્તાન્ના સંબોધનથી બોલાવી શકાય છે . એકજ વ્યક્તિને માટે અલગ અલગ સંબોધન ખોટા કહી શકાતા નથી, એ પ્રમાણે વેદમાં એકજ શક્તિધારાને  વિભિન્ન ભૂમિકાઓમાં વિભિન્ન દેવ્પારક સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે . જેમ સૂર્યને ક્યાંક ઇન્દ્ર (સૌરમંડળને બાંધીને રાખનારા) ક્યાંક પૂષા (પોષણ આપનાર), ક્યાંક રુદ્ર (તેજથી રડાવનારા) કહેવામાં આવે છે, તો કોઈપણ સંબોધન અનર્થક નહિ કહેવાય, અગ્નિને અનેક જગ્યાએ 'જાતાવેધ' (ઉત્પન્ન કરવાના વિશેષજ્ઞ), ક્યાંક પૂષા (પોષણ દેનાર). ક્યાંક યમ (અનુશાસન બનાવનાર) કહેવામાં આવેલ છે . બધા સંબોધન યુક્તિ સંગત છે .
          દેવતાઓને પ્રાણની વિભિન્ન ધારાઓના રૂપમાં માનવામાં આવેલ છે . - प्राणा वै देवा मनुजाताः (मनोजाता मनोयुजः) (તૈતરીય સંહિતા 6.1.4.5; કાઠક સંહિતા 2.3.5) પ્રાનાજ દેવગણ છે, (જે) માંથી ઉત્પન્ન અને એની સાથે સંયુક્ત છે . प्राणा वै देवा धिष्ण्यास्ते हि सर्वा धिया इष्णन्ति (શતપથ બ્રાહ્મણ 7.1.1.24) 'પ્રાણ' જ ધિષ્ણય દેવ છે, કારણ કે, આ (પ્રાણ) બુધ્ધીઓને પ્રેરિત કરે છે . प्राणा वै देवा द्रविणोदाः (શતપથ બ્રાહ્મણ 6.7.2.3) ધન આપનારા દેવ આ પ્રાણ છે . प्राणा वै मरीचिपाः | तानेव प्रीणाति (કાઠક સંહિતા 27.1) પ્રાનાજ તેજસ નું રક્ષણ કરનારા છે (અને) એમનેજ  પ્રસન્નતા (સમૃદ્ધિ) પ્રદાન કરે છે . प्राणेन वै देवा अन्न्मदन्ति | अग्निरु देवानां प्राणः (શતપથ બ્રાહ્મણ 10.1.4.12) પ્રાણના માધ્યમથી દેવગણ અન્ન ગ્રહણ કરે છે . 'અગ્નિ' દેવોનો પ્રાણ છે . प्राणैर्वे देवा स्वर्गं  लोकमायन् (જૈમિનીયશતપથ બ્રાહ્મણ 14.6. બ્રાહ્મણ 2.301) પ્રાણો દ્વારાજ દેવગણ સ્વર્ગમાં પહોંચ્યા . प्राण एव सविता (શતપથ બ્રાહ્મણ 12.9.1.16) પ્રાણજ  સવિતા છે .ऐनद्रः खलु दैवतया प्राणः (તૈતરીય સંહિતા 6.3.11.2) દેવતાના રૂપમાં પ્રાણ જ ઇન્દ્ર છે . प्राणेन यज्ञः सन्नतः (મૈત્રાયણી સંહિતા 4.6.2) પ્રાણના દ્વારાજ સતત યજ્ઞ ચાલતો રહે છે . तस्मात्  प्राणा देवताः (શતપથ બ્રાહ્મણ 7.5.1.21). એટલા માટે પ્રાણજ  દેવ છે . प्राणो वै रुद्राः (જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ 4.2.1.6) પ્રાણ જ રુદ્ર છે . प्राणा वै साध्या देवाः (શતપથ બ્રાહ્મણ 10.2.2.3) પ્રાણ જ સાધ્ય દેવ છે . प्राणो वै ब्रह्म (શતપથ બ્રાહ્મણ 14.6.10.2) પ્રાણ જ બ્રહ્મ (વ્યાપક શક્તિ) છે .
          વેદમાં યજ્ઞીય ઉપકરણો (સાધનો) ને પણ, દેવ્પારક સંજ્ઞા આપી છે . ઉપકરણો માં રહેલ વિશેષતાના રૂપમાં, એ એક વિશિષ્ટ ચેતનાશક્તિ નાં દર્શન કરે છે . એજે ચેતનશક્તિ એમને , અનેક સ્થળો પર સમ્વ્યાપ્ત દેખાય છે . જે હોય તે, પણ તેઓ એ દેવશક્તિનો મહિમા વ્યક્ત કરવા લાગે છે . જેમકે 'ઈષ્ટિકા' નો સીધો અર્થ છે - ઈંટ, પરંતુ વેદની દ્રષ્ટિમાં 'ઈષ્ટિકા' કોઈપણ નિર્માણનું એકમ છે . तत् यदिष्टात्   समभवस्तस्माद्  इष्टकाः (શતપથ બ્રાહ્મણ 6.1.2.22) જોકે તે ઇષ્ટ (ચેતના અથવા પદાર્થ) થી બનેલ છે, એટલે ઇષ્ટકા છે . અન્ન થી શરીર બને છે, એટલા માટે 'अन्नं वा इष्टकाः' (તૈતરીય સંહિતા 5.6.2.5) અન્ન ઇષ્ટકા છે .  વર્ષના નિર્માણમાં દિવસ-રાત્રી ઇષ્ટકારૂપ છે, अहो रात्राणि वाइष्टकाः (શતપથ બ્રાહ્મણ 9.1.2.18) વગેરે .
          આ રીતે 'યૂપ'  'વનસ્પતિ દેવ'  'ઉપયામ-પાત્ર' વગેરે બધામાં દેવશાક્તિઓને  સમાએલી જોઇને, એમને વેદમાં દેવપરક  સંબોધન આપવામાં આવેલ છે . મંત્રોનો બરાબર-સાચો-ભાવ સમજવા માટે, ઋષિઓની ઉક્ત ગહન દ્રષ્ટિને પણ, ધ્યાનમાં રાખવી આવશ્યક છે .


-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --2

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --2 
          ગૌ, અશ્વ, આવી વગેરે પશુપરક  સંબોધનો ના સંબંધમાં પણ આ રીતેજ વિચાર કરવાનો હોય છે . જેમકે ----
ગૌ --
          વેદમાં ગૌ (ગાય) સંબોધન પોષણ પ્રદાયક દિવ્ય શક્તિઓને માટે વપરાયું છે . પશુરુપ્માં 'ગૌ' ઉપર પણ આ પરિભાષા સારી રીતે લાગુ પડે છે, પરંતુ વેદના ગૌપરક સંબોધનને, વ્યાપક અર્થમાજ લેવું પડશે .
જેમકે - इमे लोका गौः (શતપથ બ્રાહ્મણ 6.5.2.17) આ લોક ગૌ કહેવામાં આવે છે . अन्तरिक्षं गौः (ઐતરેય બ્રાહ્મણ 4.15) અંતરીક્ષ ગૌ કહેવામાં આવેલ છે . गावो वा आदित्यः (ઐતરેય બ્રાહ્મણ 4.17)  ગાયજ આદિત્ય છે . अन्नं वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) અન્ન જ ગાય છે . यज्ञो वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) યજ્ઞ જ ગાય છે . प्राणो हि गौः (શતપથ બ્રાહ્મણ 4.3.4.25) પ્રાણ જ ગાય છે . (ગોપથ બ્રાહ્મણ 2.3.19)  वैश्वदेवी वै गौः વૈશ્વદેવી (સંપૂર્ણ દૈવી શક્તિઓનો પુંજ) ગાય છે .  अग्नेयो वै गौः (શતપથ બ્રાહ્મણ 7.5.2.19) અગ્નિથી ઉત્પન્ન (યજ્ઞીય ઉર્જા) જ ગાય છે .
          યજુર્વેદ 13.49 માં ઋષિ પ્રાર્થના કરે છે 'હે અગ્ને! સેંકડો, હજારો ધારાઓથી, લોકોની વચ્ચે ધૃત (તેજસ) ને સ્રવિત કરનારી, પરમ વ્યોમમાં રહેલી અદિતીરૂપ આ 'ગૌ' ને આપ હાની ન પહોંચાડો। ચોખ્ખુજ છે કે, પરમ વ્યોમમાં રહેલ સહસ્ર ધારાઓમાં દિવ્ય પોષણ આપનારી 'ગૌ' (ગાય) કોઈ પશુ નહિ, પ્રકૃતિની પોષણ ક્ષમતા જ કહી શકાય છે . ઋષિ ઈચ્છે છે કે, અગ્નિ (ઉર્જા) નો આવો પ્રયોગ ન થાય કે, જેનાથી પ્રકૃતિની પોષણ-ક્ષમતા પર ખરાબ અસર પડે . જે હોય તે, વેદમાં ગાય સંબોધનનો અર્થ, પ્રોયાગવિશેષને અનુરુપાજ કરવો ઇષ્ટ છે -- અભીષ્ટ છે .

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર

Saturday, June 8, 2013

કર્મકાંડ
          યજ્ઞ-સંસ્કાર વગેરે કર્મકાંડ ભારતીય ઋષિ-મુનીઓ દ્વારા લાંબી શોધ અને પ્રયોગ પરીક્ષણ દ્વારા વિકસિત અસામાન્ય ક્રિયા-કૃત્ય છે . એના માધ્યમથી મહત  ચેતના તથા માનવીય પુરુષાર્થ ની સુક્ષ્મ યોગા સાધના ને દૃશ્ય-શ્રાવ્ય (ઓડીઓ-વિઝ્યુઅલ ) સ્વરૂપ અપાયું છે . એમાં અનુસાશનબદ્ધ સ્થૂળ ક્રિયા-કલાપો દ્વારા અન્તરંગ  ની સુક્ષ્મ શક્તિઓ ને જાગ્રત અને વ્યવસ્થિત કરવામાં આવે છે .
          ઔષધી નિર્માણ ક્રમ માં અનેક પ્રકારના ઉપચાર કરી સામાન્ય વસ્તુઓ માં ઔષધીના ગુણ ઉત્પન્ન કરી દેવામાં આવે છે .માનવીયતા અંતઃકરણ માં સત્યાપ્રવૃત્તિઓ, સદ્ભાવાનાઓ, સુસંસ્કારો નાં જાગરણ, આરોપન્વીકાસ વ્યવસ્થા વગેરેથી લઈને મહત  ચેતના નો વર્ચસ્વ બોધ કરાવવા, એની સાથે જોડાવા, એનું અનુદાન ગ્રહણ કરવા સુધી નાં મહત્વપૂર્ણ ક્રમ માં કર્મકાંડો ની પોતાની સુનિશ્ચિત ઉપયોગીતા છે . માટે ન તો એની ઉપેક્ષા થવી જોઈએ અને ન તો એને ચિન્હ પુજાના રૂપે કરીને સસ્તું પુણ્ય લુટવા માટેની વાત વિચારવી . કર્મકાંડ નાં ક્રિયા-કૃત્યોનેજ સર્વસ્વ માની બેસવું અથવા એને એકદમ નિરર્થક માની લેવું, બંને
હાનીકારક છે . એની સીમાઓ પણ સમજો, પણ એનું મહત્વ પણ ન ભૂલવું . સન્ક્ષિપ્ત કરો; પણ શ્રધ્ધાશક્તિ મનોભૂમિ ની સાથે કરો, ત્યારે એ પ્રભાવશાળી બનશે અને એનો ઉદ્દેશ્ય પૂરો થશે .
          યજ્ઞાદી કર્મકાંડ દ્વારા દેવ આવાહન , મંત્ર પ્રયોગ, અન્કલ્પ અને અદ્ભાવાનાઓ ની સામુહિક શક્તિ થી એક એવી ભઠ્ઠી જેવી ઉર્જા ઉત્પન્ન થઇ જાય છે, જેમાં મનુષ્ય ની અંતઃ પ્રવૃત્તિઓને પણ ગાળીને ઈચ્છિત સ્વરૂપે ઢળવાની સ્થિતિ લાવી શકાય છે . ગાળવા સાથે ઢાળવા માટે ઉપયુક્ત પ્રેરણાઓ નો સંચાર પણ કરાય, તો ભાગ લેનાર માં વાંછિત, હિતકારી પરિવર્તન મોટા પ્રમાણમાં લાવી શકાય છે . આ વિદ્યા નો ભલે  જરૂર પ્રમાણેનોજ, પણ બરાબર દિશામાં પ્રયોગ કરવાને કારણેજ યુગ નિર્માણ અભિયાન અંતર્ગત થનારા યજ્ઞો માં ગુણ, કર્મ, સ્વભાવ પરિવર્તન નાં સંકલ્પોને રૂપે મોટી સંખ્યામાં જન-જન દ્વારા દેવદક્ષીણાઓ અર્પિત કરવામાં આવે છે .
          ઈન્દ્રીઓ પોત-પોતાના વિષયો તરફ આકર્ષિત થાય છે, મન સુખની કલ્પના માં ડૂબવા ચાહે છે, બુદ્ધિ વિચારો થી પ્રભાવિત થાય છે; પણ ચિત્ત અને અંતઃકરણમાં જ્યાં સ્વભાવ અને આકાંક્ષાઓ ઉગતી રહેતી હોય, એને પ્રભાવિત કરવા ઉપરના બધા ઉપચાર અપર્યાપ્ત સિદ્ધ થાય છે .યજ્ઞ સંસ્કાર વગેરે એવા સુક્ષમ-વિજ્ઞાન નાં પ્રયોગ છે, જેના દ્વારા મનુષ્યનાં વ્યક્તિત્વનો કાયાકલ્પ કરી શકનારી એ ગહેરાઈને પણ પ્રભાવિત, પરિવર્તિત કરી શકાય છે . જે લોકો યુગ નિર્માણ અભિયાન તથા એના સુત્ર સંચાલકો નાં વ્યાપક પ્રયોગ પરીક્ષણ થી પરિચિત છે, એમણે  લાખો વ્યક્તિઓ નાં જીવનમાં આ વિદ્યા ને ફલિત થતી જોઈ છે .
          આવા અતિ મહત્વપૂર્ણ કાર્ય ને પૂરી નિષ્ઠા અને પૂરી જાગરૂકતા થી કરાવા  જોઈએ . એમાં મર્મ સમજવા અને એમને ક્રિયાન્વિત કરી શકવાની કુશળતા તથા પ્રવૃત્તિ વિકસિત કરવાનો પરાયા માનોયોગપુર્વક  નિરંતર કરતા રહેવું જોઈએ .  
जगण "SIMPLE" आहे

हसण "SIMPLE" आहे

हसवण "SIMPLE" आहे

रडवण त्याहून "SIMPLE" आहे

जिँकण "SIMPLE" आहे

दुसरयाला हरवण "SIMPLE" आहे

मग जीवनात DIFFICULT काय आहे???

"SIMPLE" राहण हेच सर्वात "DIFFICULT" आहे...!!
જીવવું  "SIMPLE"  છે 
હસવું  "SIMPLE"  છે 
હસાવવું "SIMPLE"   છે 
રડાવવું "SIMPLE"  છે 
જીતવું  "SIMPLE" છે 
બીજાને હરાવવું  "SIMPLE" છે 
પછી જીવનમાં DIFFICULT  શું છે????
 "SIMPLE" રહેવું એજ સૌથી DIFFICULT  છે .....!!!

जीना "SIMPLE"  है 
हसना "SIMPLE"  है 
हसाना "SIMPLE" है 
रुलाना "SIMPLE" है
जित जाना "SIMPLE" है 
दुसरो को हराना "SIMPLE" है
फिर जीवनमे DIFFICULT क्या है ????
 "SIMPLE"रहना यही सबसे DIFFICULT है .....!!!