Tuesday, May 20, 2014

ધર્મ- નિરપેક્ષતા

એકવાર જ્યારે શ્રી મોદીજીએ એક કાર્યક્રમમાં ઇસ્લામી ટોપી પહેરવાની નાં કહી ત્યારે શ્રી નીતીશે એમનું નામ લીધા વગર કહેલું કે રાજનીતિમાં જરૂર પડે ત્યારે ટોપી પણ પહેરવી પડે અને તિલક પણ કરવા પડે. ત્યારે નીતીશને એમ કે આવું કહી તેઓએ પોતાને સૌથી મોટા બિનસાંપ્રદાયિક સાબિત કરી દીધા. પણ ત્યારે એમને એવી ક્યાં ખબર હતી કે એમની આ બિનસાંપ્રદાયિકતા ની હવા વગર મહેનતે એમની બિહારની પ્રજાજ કાઢી નાખશે અને એમને નૈતિકતાની નૌટંકી કરવી પડશે.
આ બધામાં ખરેખર ખરી ધર્મનિરપેક્ષતા શું છે ? લગભગ મોટાભાગના લોકો કહેશે નથી ખબર, તો સાંપ્રત સમયમાં ધર્મનિરપેક્ષતા ની પરિભાષા કાંઇક આવી બે રીતે બતાવી શકાય
૧. લઘુમતીઓને અનુમોદન
૨. હિંદુ ધર્મની પેટભરીને આલોચના કરવી.
પણ અત્યારે સોસીયલ મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું કે અંગ્રેજી શબ્દ "secularism " એ ખરેખર ધર્મનિરપેક્ષતા નથી પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી મીસનરીઓ સેક્યુલારીસ્મ નો અર્થ એજ પરમ સત્ય જે ઈસા મસીહે બાઈબલ દ્વારા કહ્યું છે અને એને માનનારો એજ સાચો સેક્યુલર કહેવાય. બીજી બાજુ કટ્ટર ઇસ્લામ પંથી એવું કહેતા
હોય છે કે જે ઇસ્લામ
અને એની વાતોને નથી માનતો એ કાફિર છે. અહી આપણે સૌ (કદાચ આપણા તમામ રાજનૈતિક પક્ષો પણ) સેક્યુલારીસ્મ એટલે બધા ધર્મો સંપ્રદાયો પંથોને સમાન આદરભાવ, એવો કરીએ.
પણ શું આ પરિભાષા નું પણ ખરેખર પાલન આપણે કરીએ છીએ? આપણા રાજનૈતિક પક્ષો કરે છે? તો વ્યક્તિગત રીતે હું તો કહીશ 'ના' કારણ એકપણ એવો પક્ષ શોધી આપો જે ધર્મનિરપેક્ષતા ને ખરેખર અનુસરતો હોય. તમામ પક્ષો બહુમતી ને ભોગે લઘુમતીને રીઝવ્વામાજ લાગ્યો હોય.
આ વખતે ૨૦૧૪ ની લોકસભા ચુંટણી પરિણામો શું તમામ ભારત વાસીઓને અને રાજનૈતિક પક્ષોને ધર્મ- નિરપેક્ષતા ની ફરીથી સાચી પરિભાષા તરફ વાળવાનો બહુમાંતિઓનો નિર્દેશ તો નથી? કદાચ હા.
તમે પણ વિચારો અને ચકાસી જુઓ તમારી જાતને શું તમે સાચ્ચે સાચ ધર્મ-નિરપેક્ષ છો?

No comments:

Post a Comment