Monday, June 27, 2016

એક વાર એક મહાત્માએ એક કુતરાને પુછ્યુ કે આમ તો તુ બહુ વફાદાર, પણ તારામા ત્રણ ખામીઓ છે.
1. તૂ પેશાબ હમેશા દિવાલ ઉપર કરે.
2. તૂ ભીખારી ને જોઈને અકારણ ભુકે છે.
3. તૂ રાતે ભુકી ભુકી ને લોકોની ઉંઘ ખરાબ કરે છે.
એ વાત પર કુતરાએ બહુ સરસ જવાબ આપ્યો
1. જમીન પર પેશાબ એટલા માટે નથી કરતો કે કયાંક કોઈ ભકતએ બેસી ઇશ્વર ની આરાધના કરી હોય તો !
2. ભીખારી પર એટલે ભુકુ છું કે એ ભગવાન ને છોડી એવા લોકો પાસે માંગે છે જે પોતે ભીખારી છે.
3. રાત્રે ભુકવાનુ કારણ એ કે, હે પાપી મનુષ્ય તૂ ગફલત ની ઉંઘમાં ક્યાં સૂતો છે. ઉઠ તારા એ પ્રભુને યાદ કર જેણે તને આટલુ બધુ આપ્યુ છે.

No comments:

Post a Comment