Sunday, June 9, 2013

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા 
આજે વિધિ ની વક્રતા એ છે કે આપણે આપણી જાતને હિંદુ કહેવડાવીએ છીએ પણ અને એવું સમજીએ છીએ કે રોજ સવારે અને સાંજે ઘરમાં દીવો - અગરબત્તી કરી દીધા ભાગનની મૂર્તિ કે ફોટા પર ફૂલ ચઢાવી દીધા એટલે આપનું હિન્દુત્વ સાબુત આપણે હિંદુ તરીકેની ફરજ પૂરી કરી દીધી . આ થી વધી આપણે કોઈ મંદિરમાં જઈ સોમવારે શંકર ભગવાનને દૂધ અને પાણી રેડી દીધું, ગુરુવારે શ્રી જલારામ બાપાના કે શ્રી સાઈ બાબા ના મંદિરમાં જઈએ શનિવારે હનુમાનજી ને તેલ અડદ અને આંકડો ચઢાવ્યા એટલે આપણી ફરજ પૂરી .
નાં નાં અને નાં ફરજ અહી પૂરી થતી નથી કારણ આપણે કેટલા ને ખબર છે કે યજ્ઞ કેવી રીતે થાય પૂજા કેવી રીતે થાય એને વિશેની જે ખોટી માન્યતાઓ છે જેને આપના કરતા હિંદુ ધર્મ સિવાયના લોકો એની મજાક કરે છે કે તમારે તો આમ તમારે તો તેમ . આવા સમયે આપ શું કરી શકો કઈ ની અને પછી ગાળો દેવાની આપના વિદ્વાનો ને આપના શાસ્ત્રોને પણ કોઈ વાર એ શું છે વાસ્તવિકતા શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? મોટા ભાગના લોકો નાં માજ જવાબ આપશે . એનું એકજ કારણ છે આપણે હંમેશા બધી વસ્તુ તૈયાર લેવાની અડત પાડી દીધી છે, કથાકારો સંતો જે કહેશે એને માની લેવાનું અંધાલા થઈને શા માટે એ વાતો નો યથાર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા .
આજે  હું અહી એક પ્રયાસ કરું છું કે અમુક બાબતો જેવી કે આજકાલ સંપૂર્ણ વિશ્વમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે ત્યારે આપણે મોટે પાયે માંસાહારને સ્વીકારી રહ્યા છીએ અને જ્યારે એ વિષે કશું કહેવામાં આવે ત્યારે એવો તર્ક આપવામાં આવે કે આપના શાસ્ત્રો માં પણ લખ્યું છે કે યજ્ઞો માં અને આપના પૂર્વજો પણ માંસાહાર કરતા હતા જે તદ્દન જુઠ્ઠાણું છે એ શું છે એ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયાસ કરીશ આશા છે તમે એને વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો .

No comments:

Post a Comment