Tuesday, January 15, 2013
કુંભ મેલા વિષે પૌરાણિક કથાઓ
કુંભ પર્વ નાં આયોજન ને લઈને બે-ત્રણ પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેમાં સર્વાધિક માન્ય કથા દેવ - દાનવો દ્વારા સમુદ્ર મંથન થી પ્રાપ્ત અમૃત કુંભ માંથી અમૃત નાં ટીપાઓ પડવાને લઈને છે. આ કથા અનુસાર મહર્ષિ દુર્વાસા નાં શાપ ને કારણે જ્યારે ઇન્દ્ર અને અન્ય દેવતા કમજોર થઇ ગયા તો દૈત્યોએ દેવતાઓ પર આક્રમણ કરી એમને પરાસ્ત કરી દીધા. ત્યારે બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને એમને આખું વૃતાંત સંભળાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ એમને દૈત્યો ની સાથે મળી ક્ષીરસાગર નું મંથન કરી અમૃત કાઢવાની સલાહ આપી. ભગવાન વિષ્ણુ નાં આવું કહેવાથી સંપૂર્ણ દેવતા દૈત્યો સાથે સંધી કરીને અમૃત કાઢવાના પ્રયત્નો માં લાગી ગયા. અમૃત કુંભ ના નીકાલાતાજ દેવતાઓના ઇશારે ઇન્દ્રપુત્ર 'જયંત' અમૃત કાળાશ ને લઈને આકાશમાં ઉડી ગયો. એના પછી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય નાં આદેશાનુસાર દૈત્યો એ અમૃત કાળાશ પાછો મેળવવા જયંત નો પીછો કર્યો અને ઘોર પરિશ્રમ બાદ એમને રસ્તામાં વચ્ચેજ જયંત ને પકડ્યો. ત્યાર બાદ અમૃત કાળાશ પર અધિકાર જમાવવા માટે દેવ-દાનવો માં બાર દિવસો સુધી અવિરામ યુદ્ધ થતું રહ્યું.
આ પરસ્પર માર-કાપ દરમિયાન પૃથ્વી નાં ચાર સ્થાનો (પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક) પર કાળાશ માંથી અમૃત નાં ટીપાં પડ્યા હતા. એ સમયે ચંદ્રાએ ઘટ થી પ્રસરવાન થવાથી સૂર્ય એ ઘટ ફૂટવાથી ગુરુએ દૈત્યોના અપહરણ થી અને શનિએ દેવેન્દ્રના ભયથી ઘટ ની રક્ષા કરી. કલહ શાંત કરવા માટે ભગવાને મોહિની રૂપ રૂપ ધારણ કરી યાથાધીકાર બધાને અમૃત વહેંચી પીવડાવી દીધું. આ પ્રમાએ દેવ-દાનવ યુદ્ધ નો અંત લાવવામ આવ્યો.
અમૃત પ્રાપ્તિ માટે દેવ-દાનવો માં બાર દિવસ સુધી નિરંતર યુદ્ધ થયું હતું. દેવતાઓના બાર દિવસ મનુષ્યોના બાર વર્ષ બરાબર થાય છે. માટે કુંભ પણ બાર હોય છે. એમાંથી ચાર કુંભ પૃથ્વી પર અને બાકીના આઠ કુંભ દેવલોકમાં થાય છે, જેને દેવ ગનોજ પ્રાપ્ત કરી શકે છે મનુષ્યોની ત્યાં પહોંચ નથી.
જે સમયે ચંદ્ર આડી એ કાળાશ ની રક્ષા કરી હતી, ત્યારે તે સમય ની વર્તમાન રાશીઓ પર રક્ષા કરનાર ચંદ્ર-સૂર્ય વગેરે ગ્રહ જ્યારે આવે છે, ત્યારે કુભ નો યોગ હોય છે એટલે જે વર્ષે જે રાશી પર સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ નો સંયોગ હોય છે, એજ વર્ષે, એજ રાશિના યોગ માં જ્યાં જ્યાં અમૃત બુંદ (ટીપાં) પડ્યા હતા, ત્યાં ત્યાં કુંભ પર્વ હોય છે.
ઈશ્વરીય પ્રેમ
ઈશ્વરીય પ્રેમ
પ્રાચીન કાલ માં એક રાજા નો એ નિયમ હતો કે એ અગણિત સન્યાસીઓને દાન આપ્યા બાદજ ભોજન ગ્રહણ કરતો હતો
એક દિવસ નિયત સમય થી પહેલાજ એક સન્યાસી પોતાનું નાનું ભિક્ષા પાત્ર લઇ દ્વાર પર આવી ઉભા રહ્યા, એમને રાજા ને કહ્યું - "રાજાન, જે સમભાવ હોય તો મારા આ નાના પાત્ર માં કંઇક ભીખ નાખી દો."
યાચક નાં આ શબ્દો રાજા ને ખાતાક્તા હતા પણ એમને કશું કહી નાતા શકતા. એને એમના સેવકોને કહ્યું એ પાત્ર ને સોના સિક્કાઓ થી ભરી દેવામાં આવે.
જેવા એ પાત્ર માં સોના નાં સિક્કા નાખવામાં આવ્યા, એ સિક્કા એમાં પડતાજ ગાયબ થઇ ગયા. આવું વારંવાર થયું. સાંજ સુધી રાજાનો પૂરો ખજાનો ખાલી થઇ ગયો પણ પેલું પાત્ર ખાલીજ રહ્યું.
અન્રે રાજા પોતેજ યાચક ની સમક્ષ આવી હાથ જોડી પૂછ્યું કે "મને ક્ષમા કરો, હું સમજતો હતો કે મારે દ્વારે થી કડી કોઈ ખાલી હાથ નહિ જી શકે. હવે કૃપા કરી આ પાત્ર નું રહસ્ય મને જણાવો. એ ભરાતું કેમ નથી?"
સન્યાસીએ કહ્યું "આ પાત્ર મનુષ્ય નાં હૃદય થી બનેલું છે. આ સંસાર ની કોઈ પણ વસ્તુ મનુષ્ય નાં હૃદય ને ભરી શકતી નથી. મનુષ્ય ગમે એટલું નામ, યશ, શક્તિ, ધન, સૌન્દર્ય અને સુખ અર્જિત કરી લે પણ એ હંમેશા વધારેની ઈચ્છા રાખે છે. કેવળ ઈશ્વરીય પ્રેમજ આ પાત્ર ને ભરવું શક્ય છે."
પ્રાચીન કાલ માં એક રાજા નો એ નિયમ હતો કે એ અગણિત સન્યાસીઓને દાન આપ્યા બાદજ ભોજન ગ્રહણ કરતો હતો
એક દિવસ નિયત સમય થી પહેલાજ એક સન્યાસી પોતાનું નાનું ભિક્ષા પાત્ર લઇ દ્વાર પર આવી ઉભા રહ્યા, એમને રાજા ને કહ્યું - "રાજાન, જે સમભાવ હોય તો મારા આ નાના પાત્ર માં કંઇક ભીખ નાખી દો."
યાચક નાં આ શબ્દો રાજા ને ખાતાક્તા હતા પણ એમને કશું કહી નાતા શકતા. એને એમના સેવકોને કહ્યું એ પાત્ર ને સોના સિક્કાઓ થી ભરી દેવામાં આવે.
જેવા એ પાત્ર માં સોના નાં સિક્કા નાખવામાં આવ્યા, એ સિક્કા એમાં પડતાજ ગાયબ થઇ ગયા. આવું વારંવાર થયું. સાંજ સુધી રાજાનો પૂરો ખજાનો ખાલી થઇ ગયો પણ પેલું પાત્ર ખાલીજ રહ્યું.
અન્રે રાજા પોતેજ યાચક ની સમક્ષ આવી હાથ જોડી પૂછ્યું કે "મને ક્ષમા કરો, હું સમજતો હતો કે મારે દ્વારે થી કડી કોઈ ખાલી હાથ નહિ જી શકે. હવે કૃપા કરી આ પાત્ર નું રહસ્ય મને જણાવો. એ ભરાતું કેમ નથી?"
સન્યાસીએ કહ્યું "આ પાત્ર મનુષ્ય નાં હૃદય થી બનેલું છે. આ સંસાર ની કોઈ પણ વસ્તુ મનુષ્ય નાં હૃદય ને ભરી શકતી નથી. મનુષ્ય ગમે એટલું નામ, યશ, શક્તિ, ધન, સૌન્દર્ય અને સુખ અર્જિત કરી લે પણ એ હંમેશા વધારેની ઈચ્છા રાખે છે. કેવળ ઈશ્વરીય પ્રેમજ આ પાત્ર ને ભરવું શક્ય છે."
ઈશ્વર પ્રાપ્તિના ઉપાય
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ નો યથાર્થ જાણનારા મહાપુરુષો નો સંગ અને એમના આદેશ અનુસાર આચરણ કરવું.
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ થી પૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન કરવું.
* ઈશ્વર નાં નામ નો જપ અને ગુનો નું શ્રાવણ-કીર્તન કરવું.
* ઈશ્વર નું ધ્યાન ધરાવું.
* વિશ્વરૂપ ભગવાન ની નિષ્કામ ભાવે સેવા કરવી.
* ઈશ્વર પ્રાર્થના કરવી.
* ઈશ્વર ને અનુકુળ આચરણ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, તાપ, સ્વાધ્યાય, આસ્તિકતા અને શ્રધ્ધા વગેરે નો વધારો કરવો
* લોક-પરલોક નાં સમસ્ત ભાગો માં વૈરાગ્ય.
* સદગુરુ માં પરમ શ્રધ્ધા રાખવી અને ગુરુ સેવા કરવી.
* ઈશ્વર માં અખંડ વિશ્વાસ રાખવો.
* ઘર અને બહાર સર્વત્ર ઈશ્વર ચર્ચા.
* અભિમાન, દંભ, અને કઠોરતા નો સર્વથા ત્યાગ કરવો.
* કામ, ક્રોધ, લોભ થી બચવું.
* નાસ્તિકોના સંગ નો સર્વથા ત્યાગ કરવો.
* પરધર્મ સહિષ્ણુતા.
* બધામાં ઈશ્વર બુદ્ધિ રાખીને વર્તાવ કરવાની ચેષ્ટા કરવી.
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ નો યથાર્થ જાણનારા મહાપુરુષો નો સંગ અને એમના આદેશ અનુસાર આચરણ કરવું.
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ થી પૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન કરવું.
* ઈશ્વર નાં નામ નો જપ અને ગુનો નું શ્રાવણ-કીર્તન કરવું.
* ઈશ્વર નું ધ્યાન ધરાવું.
* વિશ્વરૂપ ભગવાન ની નિષ્કામ ભાવે સેવા કરવી.
* ઈશ્વર પ્રાર્થના કરવી.
* ઈશ્વર ને અનુકુળ આચરણ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, તાપ, સ્વાધ્યાય, આસ્તિકતા અને શ્રધ્ધા વગેરે નો વધારો કરવો
* લોક-પરલોક નાં સમસ્ત ભાગો માં વૈરાગ્ય.
* સદગુરુ માં પરમ શ્રધ્ધા રાખવી અને ગુરુ સેવા કરવી.
* ઈશ્વર માં અખંડ વિશ્વાસ રાખવો.
* ઘર અને બહાર સર્વત્ર ઈશ્વર ચર્ચા.
* અભિમાન, દંભ, અને કઠોરતા નો સર્વથા ત્યાગ કરવો.
* કામ, ક્રોધ, લોભ થી બચવું.
* નાસ્તિકોના સંગ નો સર્વથા ત્યાગ કરવો.
* પરધર્મ સહિષ્ણુતા.
* બધામાં ઈશ્વર બુદ્ધિ રાખીને વર્તાવ કરવાની ચેષ્ટા કરવી.
ભાગવત સત્તા નો ઉદય - હંસ તીર્થ
ભાગવત સત્તા નો ઉદય કેવળ લોકસત્તા, સૃષ્ટિ ની રચના અને સમય સમય પર એના વિનાશ માટેજ નહિ પણ સમય સમય પર ભક્તો નાં કલ્યાણ નો માર્ગ પ્રશસ્ત કરવો પણ પ્રભુ માટે આવશ્યક છે. ભક્તો પર આવેલ સંકટ ની જાણકારી અને સૃષ્ટિ નું ન્યાય પૂર્ણ સંચાલન માટે આ સૂચનાઓ ને પહોંચાડવાનું દાયિત્વ નારદજી ને સોપવામાં આવ્યું હતું.
બ્રહ્માના માણસ પૂત્ર નારદ નું મંદિર સંગમ નગરી ઇલાહાબાદ માં આવેલ છે. નારદજી પાસે પોતાની જટિલ સમસ્યાઓ નું સમાધાન અને અનેકો અસાધ્ય કષ્ટો થી દુખી ભક્તજન પોતાના દુખો ની ગુહાર લગાવા આવે છે. અહી એવી માન્યતા છે કે ભક્તોના સંદેશાઓ ને સીધા ભગવાન સુધી પહોચાડવાનું દાયિત્વ નારદ મુની પાસે છે.
પ્રયાગના સંગન તટ પર લાગતા મહાકુંભ નો પૂણ્ય પ્રતાપ ત્યારેજ મળે જ્યારે પાછા ફરતા આ હંસ તીર્થ નાં દર્શન કરવામાં આવે.
પ્રયાગમાં ગંગા નાં પૂર્વી તટ પર સ્થિત આ હંસ તીર્થ નું વર્ણન મત્સ્ય પૂરાણ માં મળે છે. આ હંસ તીર્થની સંરચના પાન નાં આકાર ની છે. એનું નિર્માણ મનુષ્ય નાં આંતરિક શરીર ની માફક કરવામાં આવ્યું છે. હંસ નો અર્થ થાય મુક્તિ અને એજ કારણ કે એને મુક્તિનું નું ધામ પણ કહેવાય છે. હંસ તીર્થ માં શરીર નાં તમામ ૬ શક્તિ કેન્દ્રો ને દર્શાવવામાં આવ્યા છે. મંદિર નાં પૂજારીના કહેવા પ્રમાણે નારદ મુની નું આ એક માત્ર મંદિર છે જ્યાંથી જે ભક્ત હૃદય પૂર્વક અરજ કરે તો એની અરજ સીધી ભગવાન સુધી પહોંચે છે.
મત્સ્ય પૂરાણ માં એવું વર્ણન મળે છે કે અહી સ્થિત હંસ કુવાના પાણી થી સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન આજ તીર્થરાજ પ્રયાગ માં કર્યું હતું. એમાં એમના પાંચેવ માણસ પૂત્રોએ એમને સહયોગ આપેલો. બ્રહ્માજીએ એમના ચારે પૂત્રો સનત, સનંદન, સનત કુમાર અને પર્વત ને ચારેવ દિશાઓમાં સૃષ્ટિ નિર્માણ નું કાર્ય સોંપ્યું અને એમના પાંચમાં પૂત્ર નારદ ને લોક કલ્યાણ નું કાર્ય સોંપ્યું . બ્રહ્માજી એ સૃષ્ટિના સંદેશવાહક નારદને નિયુક્ત કર્યા અને એમને પ્રયાગ ની આજ પાવન તીર્થ ભૂમિ પર નિવાસ કરવાનો આદેશ આપ્યો. ત્યારથી એમ માનવામાં આવે છે કે હંસ તીર્થમાં નારદ મુની નું નિવાસ સ્થાન છે. અહી દરેક ભક્ત પીપલા નું પાન અને કાગળ પર પોતાની ઈચ્છા અને મનોકામનાઓ ને લખીને નારદ મુની નાં આ મંદિર માં વાંચે છે.
નારદ મુનીએ પ્રયાગ નાં આ હંસ તીર્થ માં ઘણા વર્ષો સુધી રહીને વિષ્ણુ ભગવાન ની આરાધના કરી હતી અને ૨૫ હજાર શ્લોકો વાલા પ્રસિદ્ધ નારદ પુરાણ નાં અમુક અંશો ની રચના આ તીર્થ માં કરી હતી. ભગવાન વિષ્ણ એ પ્રસન્ન થઇ નારદ ને બધા યુગો અને ત્રણે લોકો માં ક્યાય પણ પ્રકટ થઇ શકવાના આશીર્વાદ આપ્યા હતા.
Saturday, December 22, 2012
vaarta
1
એક
પહાડી ક્ષેત્રમાં એક વૃદ્ધ દંપત્તિ બસમાં જી રહ્યું હતું. બસ સ્ટેન્ડ થી
એમનું ગામ ખાસું દુર હતું. માટે એમને બસના કંડકટરને વિનતી કર્યો ભાઈ અમે
વૃદ્ધ છીએ સમાન ઘણો છે, બસ સ્ટેન્ડ થી સામાન ઊંચકી અમારા ગામ સુધી જવું
અમારે માટે ઘણું મુશ્કેલ થશે. જે તમે અમને અમારા ગામ ની સામે ઉતારી દેશો તો
અમારે ઘણું સરળ થઇ જાય.
કંડકટર એમની વિનતી માની લઇ
કહ્યું કે જ્યાં ઉતારવાનું હશે એના થોડા સમય પહેલા જણાવી દેજો, અમે ઉતારી
દઈશું. એમના ઉતારવાનો સમય થતા કંડકટરને જણાવ્યું એટલે એને સીટી વગાડીને
ડ્રાઈવરે બસ થોભાવી, વૃદ્ધ દંપત્તિ નીચે ઉતારી ગયું કંડકટર એમનો સામાન પણ
બરાબર ઉતરાવી આપ્યો. આ સંપૂર્ણ ઉપકાર કાર્યક્રમ માં લગભગ પાંચ મિનીટ નો
સમય લાગ્યો, બસ ત્યાં સુધી ઉભી રહી.
બસ આગળ વધી, અને થોડે આગળ ગઈ હશે ને ઊંચા પહાડ ઉપરથી એક્મોતો પત્થર ગબડતો
આવ્યો અને બસ સાથે અથડાયો. બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ , લોકો ઘાયલ થયા, એમનો
સામાન વિખેરાઈ ગયો. આ જોઈ પેલી વૃધ્ધા જે થોડા સમય પહેલા બસ માંથી ઉતારી
હતી, વ્યાકુળ થઇ ઉઠી, રડવા લાગી. એને પોતાના પતિને કહ્યું આ સામાન અહીજ
છોડો , ભાગ્યમાં હશે તો પાછો મળશે. ચાલો આપણે પેલા ઘાયલ યાત્રીઓની મદદ
કરીએ.
પેલા પતિએ તરતજ કહ્યું, તું શા માટે રડે છે? આપણે તો
ભગવાનનો આભાર માનવો જોઇલે આપણે બંને બચી ગયા. આ સાંભળી વેઉધ્ધા બોલી, તમે
ફક્ત પોતાનો સ્વાર્થને કારણે આવું બોલી રહ્યા છો, પણ તમે એ વિચાર ન કર્યો
કે આપણ ને અહી ઉતારવા માટે બસને થોભાવી હતી, જો બસ આપના માટે અહી ન થોભી
હોત તો એ પેલા સ્થાનથી જ્યાં પેલો પત્થર એના પર પડ્યો ઘણે દુર નીકળી ગઈ
હોત, અને આ દુર્ઘટના ઘટી ન હોત અને બસમાં સવાર યાત્રી મુસીબતનો શિકાર ન
બન્યા હોત.
આજે અપને સૌ પોતાના સ્વાર્થ ખાતર પોતાને માટે જીવી
રહ્યા છે. આપનું કામ થઇ ગયું, આપનો જીવ બચી ગયો, ઈશ્વરની કૃપાથી અપન ને
ફાયદો થઇ ગયો. એનાથી બીજાનું શું થાય એના વિષે આપણે થોડો પણ વિચાર નથી
કરતા. માટેજ સમગ્ર વિશ્વ આજે અશાંત છે. આપણી પાસે બધું હોવા છતાં અભાવ નો
ભાવ મનમાં વધતો જઈ રહ્યો છે.
વ્યક્તિના જીવનમાં સંવાદિતાનું જે
સંગીત સંભળાવું જોઈએ એ સંભળાતું નથી. એક વ્યક્તિએ બીજા વ્યક્તિ માટે જે
વિચારવાનું છે એણે જે સંવાદ કરવાનો છે એ ખતમ થઇ રહ્યો છે. ચારો તરફ ફક્ત
કોલાહલ સંભળાઈ રહ્યો છે. કારણ દરેક વ્યક્તિ ફક્ત પોતાના સ્વાર્થ માટેજ બોલે
છે. સ્વાર્થની બોલી થી સંગીત ઉત્પન્ન નથી થતું, ફક્ત કોલાહલજ ઉદભવે છે.
પ્રયાસ તો વ્યક્તિ શાંતિ મેળવવાનો કરી રહ્યો છે પણ પોતેજ અશાંતિ પેદા કરી
રાહ્યો છે.
એ વાત સદૈવ ધ્યાન માં રાખવી કે મન ની શાંતિ સાંસારિક
વસ્તુઓથી નહિ પણ સંવાદિતા દ્વારા મળે છે.જીવનની પરમ સંપતિ સત્સંગજ છે.
પરમાર્થ તરફ આગળ વધવાનું પહેલું ડગલું સાધના છે. અને બીજાના કાર્યોને
સાધવામાં આવે એજ સાધના છે.
સત્ય ઘણું સરળ છે. પણ સરળ સત્યને સમજવા
માટે સરળ થવું પડે છે. આપણો એક નાનો સ્વાર્થ રાષ્ટ્ર અને સમાજને કેટલું
નુકસાન પહોચાડી રહ્યું છે એ સમજવું પડશે. એ સમજને વિકસિત કરવાની સાધના
કરાવી છે, આ ધર્મને સાધવા માટે આ શરીર મળ્યું છે. માટે આપણે પર્હીતમાં
લાગીએ અને પર્હીત્નુજ ચિંતન કરીએ, એજ ધર્મ છે. એમાજ એની સાર્થકતા છે.
--- પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા
2
માર્ગદર્શનના અભાવે ચોર, આજીવન ચોર રહેશે?
આજે ધર્મ પર શ્રદ્ધા શેષ થવા માંડી છે માટે વ્યક્તિ પોતાના
સ્વાર્થ સાધવા ખાતર પોતાની રીતે ધર્મની મુલાવાની કરે છે અને પોતાને ફાયદો
થાય તે રીતે એનું અર્થઘટન કરીને દરેક પ્રકારના દુષ્કૃત્યો કરતા અચકાતો નથી.
એક ધનવાન વ્યક્તિને ઘરે એક રાત્રીએ એ ચોર પહેલીવાર ચોરી કરવા
માટે ઘુસ્યો. રાત્રીનો સન્નાટો હતો થોડો અવાજ થતા શેઠજી જાગી ગયા. એમને
સમજતા વાર ન લાગી કે આ તો ચોર ઘુસ્યો છે, હાફળા ફાફળા થઇ પથારીમાંથી નીચે
ઉતર્યા જોર જોરથી ચોર..ચોર..ની બુમો પાડવા લાગ્યા. ચોરે આ બુમા બુમ સાંભળી
અને ભાગવા લાગ્યો. શેઠજીની બુમો સાંભળી શેઠજીનો યુવાન પુત્ર પણ પોતાના
ઓરડામાંથી બહાર આવ્યો અને ચોરની સામે થયો. સ્વ બચાવ માટે ચોરે એક ચપ્પુ
સંતાડ્યો હતો એ કાઢીને એને શેઠના પુત્રની સામે ધર્યો. ત્યાં સુધીમાં શેઠે
પાછળથી આવી પેલા ચોરને માથામાં પેપરવેટ નો ઘા કર્યો, એનાથી પેલો ચોર લથડ્યો
અને એના હાથમાંથી ચપ્પુ ઉછાળ્યો જેની ધાર પુત્રના હાથે ઘસરકો કરતી ગઈ સાથે
શેઠજીની જાંઘ ઉપર પણ એક ઘસરકો પાડતી ગઈ. બંનેને લોહી નીકળવા લાગ્યું અને આ
બધા સંઘર્ષમાં ચોર શેઠને ત્યાંથી ભાગી
નીકળવામાં સફળ થયો. આ સંઘર્ષમાં થોડું વધારે બધાને લાગ્યું હતું પણ આખરે
ચોરી થતી બચાવી લેવાઈ હતી.
પ્રસંશામાં પિતા પુત્રની
વીરતાને ઘટના શેઠજી પરીવા, આસ-પડોસ માં બતાવી રહ્યા હતા. એમને વિચાર્યું
અને ઘરની સુરક્ષા વધારવાનાં ઉપાયો કરવામાં લાગી ગયા. પેલી બાજુ ચોર પોતાની
અસફલતા પર વિચાર કરી નવી યોજના બનાવવા લાગ્યો, થોડા સાથીઓનો ઉમેરો કરવો,
હથીયારો વધારે લઇ જવા, જેથી ચોરીના પ્રયાસમાં સફળતા મળે અને એકજ પ્રયાસમાં
અધિક ધન રાશી પ્રાપ્ત થાય. ચોર હજી પણ પરિશ્રમ થી ધન ઉપાર્જિત કરવાને બદલે
ચોરી થી ઉતાવળે અને ઓછા સમયમાં અધિક ધન મેળવવાની વેતરણ માં પડી ગયો.
ચોરના મગજમાં પડેલ બુરાઈનું બીજ ખતમ નાં કરી સહાય તો એના
દુષ્પરિણામ શેઠજીને, કોઈ બીજા પરિવારને કે પેલા ચોર ને પણ ભોગવવા પડશે.
ચોરને જો સદપ્રેરણા નહિ મળે (જે શારીરિક અને માનસિક મહેનત તું ચોરી કરવા
જેવા દુષ્કૃત્ય પાછળ કરી રહ્યો છે એના બદલે એજ મહેનત જો સારા કામ કરવા પાછળ
કરે તો ઈજ્જત અને સ્વાભિમાન સાથે ધન અર્જિત કરી શકાય છે) તો એ ચોરીને
રવાડે ચઢી જઈ એક પછી એક ચોરીઓ કરતો જશે. અને કો સદ પ્રેરણા મળી જાય અથવા એ
શરૂઆત માંજ પકડાઈ જાય અને ન્યાયાલય દ્વારા સજા મળી જાય તો કદાચ ભય વશ એ
ભવિષ્યમાં ચોરી ન કરે.
3
સ્વમુલ્યાંકન
એકવાર એક ધનવાન શ્રેષ્ઠી કશે જી રહ્યા હતા, રસ્તે જતા એમને તરસ
લાગી. આજુબાજુ નજર કરતા એમને દુર એક વહેતી નદી જોઈ એટલે થયું કે ચાલ ત્યાં
જઈને પાણી પી લઉં. પાણી પીવા જતા ચૂક થઇ ગઈ અને પગ લપસી ગયો, તેઓ સીધા નદી
નાં ઊંડા પ્રવાહમાં ઉતારી ગયા. હવે એમને તરતા પણ આવડતું ન હતું એટલે હાથ
ઊંચા કરી કરીને કોઈ હોય તો મદદ કરો એમ બુમો પાડતા રહ્યા. થોડી વારે એમના
નસીબે બે માછીમાર ભાઈઓ ત્યાં આવી ચઢ્યા અને નદીના ઊંડા પ્રવાહ માંથી જેમ
તેમ કરી મહા મહેનતે પેલા ધનવાન શ્રેષ્ઠીને બચાવી બહાર કાઢ્યા. થોડી વારે
પેલા શ્રેષ્ઠી ભાનમાં આવ્યા સ્વસ્થ થયા એટેલે એમને પેલા બંને માછીમાર
ભાઈઓનો આભાર માન્યો અને સાથે જતા જતા વીસ રૂપિયાની એક નોટ પેલા બે માના એક
ભાઈને આપી અને કહેતા ગયા- 'કે તમે લોકોએ મને ડૂબતો બચાવ્યો તેની બક્ષિશ અને
હા, તમે બંને દસ દસ રૂપિયા વહેંચી લેજો'.
આ નોટ લઇ જે
ભાઈને આપી તે હસવા લાગ્યો ત્યારે બીજો પેલા શ્રેષ્ઠીના ગયા પછી બીજા ભાઈના
પર ગુસે ભરાયો કે- 'તમે પણ ભાઈ કેવા છો આપણે મહા મહેનતે પેલા વ્યક્તિને
બચાવ્યો અને એની બક્ષિશ રૂપે ફક્ત વીસ રૂપિયા તે પણ સાથે કહેતો ગયો કે દસ
દસ વહેંચી લેજો', ત્યારે પેલો ભાઈ કહવા લાગ્યો- ' હું એટલા માટે હસ્યો કે
ગુસ્સે થવાની કોઈજ જરૂર નથી એ વ્યક્તિએ વીસ રૂપિયા આપી સાથે કહ્યું કે દસ
દસ વહેંચી લેજો, એનાથી એને સામેથી બતાવી દીધું કે એના જીવની કીમત ફક્ત વીસ
રુપિયાજ છે.'
એનો સાર એટલો કે તમે ગમે એટલા ધનવાન હો પણ તમારી કીમત તો તમારા આચરણ થીજ પરખાય.
4
એક અત્યંત નિર્દયી અને ક્રૂર રાજા હતો. બીજાને કષ્ટ આપવામાં એને આનંદ આવતો હતો. એનો આદેશ હતો કે એના રાજ્યમાં કોઈ પણ નાના મોટા ગુના માટે એક યા બે વ્યક્રીને ફાંસી થાવીજ જોઈએ. એના આ વ્યવહારથી પ્રજા ઘણીજ ત્રસ્ત હતી. એક દિવસ રાજ્યના થોડા આગેવાનો ભેગા થઈને આ સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંત હતા એમની પાસે ગયા અને એમની વીનંત કરી કે મહારાજ અમારી રક્ષા કરો અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી આપો. જો આ રાજા આં ક્રમ ચાલુ રહ્યો તો થડો સમયમાં આ નગર ખાલી થઇ જશે. સંત પણ ઘણા સમયથી આ જોઈ સાંભળી રહ્યા હતા. બીજેજ દિવસે સંત પેલા રાજાના દરબાર માં ગયા. રાજાએ એમનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું. સંત બોલ્યા - "હું આપને એક પ્રશ્ન પુછવા આવ્યો છું. જો તમે શિકાર કરવા જંગલમાં જવા નીકળો શિકાર કરતા આપ એકદમ આગળ નીકળી જાઓ અને રસ્તો ભૂલી જાઓ અને તમને ત્યારેજ પાણીની તરસ લાગે, કોઈ વ્યક્તિ તમને સડેલું ગંદુ પાણી પીવા આપે પણ એક શરત સાથે કે તમે મને તમારું અડધું રાજ્ય આપી દેશો તોજ, ત્યારે આપ તેને તમારું અડધું રાજ્ય આપી દેશો? રાજાએ કહુયું પ્રાણ બચાવવા માટે અડધું રાજ્ય આપવાજ પડે. સંત પાછા બોલ્યા - એ સડેલું પાણી પીને તમે બીમાર પડી જાઓ આપને સાજા કરવા માટે કોઈ વૈદ્ય બીજું અડધું રાજ્ય માંગે તો શું તમે એ પણ આપી દેશો? રાજા તત્ક્ષણ બોલ્યા પ્રાણ બચાવવા માટે એ પણ આપી દેવા પડે. જીવન નહિ હોય તો રાજ્ય કેવું? ત્યારે સંત તરતજ બોલ્યા પોતાના પ્રાણો ની રક્ષા માટે તમે રાજ્ય લુટાવી શકો છો, તો બીજાના પ્રાણ શા માટે લો છો? પ્રજા એ તમારા પ્રાણ છે, રાજ્યમાં પ્રજા એટલે તમારા પ્રાણ જો તમારી પ્રજા તમારા રાજ્યમાં નહિ બછે તો તમે રાજ કોના પર કરશો? સંત નો આ તર્ક સાંભળી રાજાને ભાન થયું અને તે સુધારી ગયા. કથા નો સાર એ કે પોતાના અધિકારનો ઉપયોગ લોકહિતમાં અને વિવેક સંમત રીતે કરાવો જોઈએ.
5
કર્મ પાછા વર્ષે છે -
એકવાર દેવતાઓએ સભા કરી. એ સભામાં એક પ્રસ્તાવ સ્વીકૃત થયો કે
ગંગાજી મૃત્યુલોક માં બધા પ્રાણીઓના પાપોને લે છે માટે તેઓ સૌથી પાપીની છે
અને હવે તેમને સભામાં આવવા નહિ દેવાય.
જ્યારે ગંગાજીએ
સાંભળ્યું ત્યારે આવીને તેઓ બોલ્યા, દેવતાઓ, આપનું આવું કહેવું સાચું છે કે
મૃત્યુલોકમાં સૌના પાપો હું લઉં છું પણ એ બધા પાપો હું સમુદ્રમાં નાખી દઉં
છું, પોતાની પાસે નથી રાખતી. દેવતાઓએ કહ્યું વાત તો તમારી સાચી છે. તો પછી
વરુણ દેવતાને હવેથી સભામાં બહાર કરવામાં આવે, કારણ તેઓ સૌથી પાપી છે.
વરુણ દેવતાએ હાથ જોડી કહ્યું કે હે દેવતાઓ હું ગંગા પાસેથી પાપો
લઉં છું પણ હું પણ એ પાપોને પોતાની પાસે નથી રાખતો. એ પાપોને હું મેઘોને
આપી દઉં છું, દેવતાઓએ ફરી વિચાર વિમર્શ કર્યો અને નિર્ણય કર્યો કે મેઘરાજા
સૌથી પાપી છે અને તેઓ આપણી સભામાં નહિ આવી શકે.
મેઘરાજા પણ ઉભા થયા અને એમને હાથ જોડી કહ્યું દેવતાઓ, મારી પણ
વાત સાંભળો. એ વાત તદન સાચી છે કે સમુદ્ર પાસે હું બધાના પાપો લઉં છું પણ
હું એ મારી પાસે નથી રાખતો. દેવતાઓએ પૂછ્યું તો આપ એ પાપોનું શું કરો છો?
એના પર મેઘરાજાએ ઉત્તર આપ્યો કે હું એ પાપો અને કર્મોને એમાનાપરજ વર્ષાવી દઉં છું.
આ વારતો નું બોધ એ છે કે આપણે કરેલા સારા ખરાબ કર્મોના ફળ આપણને અહીજ પાછા મળી જાય છે.
6
બે
મિત્રો ઘણીવાર વેશ્યાગમન કરતા હતા. એક સાંજે જ્યારે તેઓ ત્યાં જી રહ્યા
હતા ત્યારે, રસ્તા માં કોઈ સંત નું આધ્યાત્મિક પ્રવચન ચાલી રહ્યું હતું.એક
મિત્રે કહ્યું કે તે આજે પ્રવચન સાંભળવાનું પસંદ કરશે અને એ આજે પેલી
વેશ્યા ને ત્યાં નહિ જાય જ્યાં તેઓ હંમેશા જતા હતા. બીજ્હો મિત્ર પેલાને
ત્યાં છોડી વેશ્યા ને ત્યાં ગયો. હવે જે વ્યક્તિ પ્રવચનમાં બેઠો હતો, એ એના
બીજા મિત્રના વિચારોમાં ડૂબી ગયો. વિચારી રહ્યો કે પેલો ત્યાં શું આનંદ લઇ
રહ્યો હશે, અને હું ક્યા અહી આ નીરસ જગામાં આવીને બેસી ગયો. મારો મિત્ર
ઘણો બુદ્ધિમાન છે કારણ એને પ્રવચન સાંભળવા કરતા વેશ્યાને ત્યાં જવાનો
નિર્ણય કર્યો.
જે મિત્ર વેશ્યા પાસે બેઠો હતો, એ વિચારી
રહ્યો હતો કે એના મિત્રે પ્રવચન માં બેસવાનો નિર્ણય કરીને મુક્તિનો માર્ગ
પસંદ કર્યો છે, જ્યારે હું લાલસામાં જાતે ફસાયો. પ્રવચનમાં બેઠેલ વ્યક્તિએ
વેશ્યા વિષે વિચારી ખરાબ કર્મોને ભેગા કર્યા. હવે એ પોતેજ એના દુખ ભોગવશે.
ખરાબ કર્મોની કીમત તમે એટલા માટે નથી ચુકવતા કે તમે વેશ્યાને ત્યાં જાઓ છો,
તમે કીમત એટલા માટે ચૂકવો છો કારણ તમે ચાલાકી કરો
છો. તમે જવા તો વેશ્યા પાસેજ ચાહો છો પણ સાથે એમ વિચારો છો કે પ્રવચનમાં
જવાથી તમે સ્વર્ગના અધિકારી બની જશો. આજ ચાલાકી તમને નરકમાં લઇ જાય છે.
તમે જેવો અનુભવ કરો છો, તેવાજ તમે થઇ જાવ છો. માની લો કે તમને
જુગાર રમવાની આદત છે. તમારા ઘરમાં માં, પત્ની અથવા બાળકોને તમે જુગાર રમવું
એ ખરાબ કામ છે એવું કહેશો. એનું નામ પણ તમે નહિ લો, પણ જેવા તમારી
ટોળકીનાં સભ્યોને માળો છો, પત્તા છીપવા લાગી જાઓ છો. માનો છો કે જુગારીઓની
વચ્ચે રહેનાર વ્યક્તિ જે જુગાર નથી રમતો એ જીવવાને લાયક નથી.
બધેજ આવું હોય છે. ચોરોને ક્યારેય એવું લાગ્યું છે કે લોકોને લૂટવા એ
ખરાબ છે? જ્યારે તમે ચોરી માં અસફળ રહો છો, ત્યારે તેઓ વિચારે છે કે તમે
કાબેલ ચોર નથી. અને ત્યારે ચોરી એક ખરાબ કર્મ બની જાય છે. જેવું તમે
વિચારશો, અનુભવશો, કર્મ એવુજ થશે. તમે શું કરી રહ્યા છો એની સાથે એને સંબંધ
નથી પણ જે રીતે તમે એને તમારા મગજમાં લો છો, એની સાથે એ પૂર્ણ રીતે
જોડાયેલું હોય છે. આપણે હંમેશા સ્વીકૃતિની વાતો શા માટે કરીએ છીએ? કારણ
જ્યારે તમે પૂર્ણ સ્વીકૃતીમાં હોવ છો, એને સરળ કરી દો છો.
સમાજનો પણ પોતાનો અહંકાર હોય છે. સમાજે પોતાનો ઢાંચો બનાવી રાખવા માટે અમુક
નિયમો જરૂરી થઇ જાય છે. આપણે જોઈએ છીએ કે કોઈક નાની સરખી વાતને લઈને પણ
સમાજ ક્ષુબ્ધ થઇ જાય છે. અહી એ જરૂરી નથી કે એ નાની વાત સાચેજ ખોટી હોય.
જ્યારે અમેરિકામાં ઉનાળામાં લોકો ભાગ્યેજ કોઈ કપડા પહેરે છે, તેઓ મીની
સ્કર્ટ માં હોય છે. આવા સમયે કોઈ આખું શરીરે વસ્ત્રો પહેરે ત્યારે લોકો
ક્ષુબ્ધ થઇ જશે, આ શું કરે છે? એનું આખું શરીર સંપૂર્ણ રીતે ઢંકાયેલું શા
માટે છે? અહી ભારતમાં, જો તમારું શરીર પૂર્ણ કપડાઓ થી ઢંકાયેલું નહિ હોય તો
લોકો પરેશાન થઇ જશે.
આ બધું એક રીતે સામાજિક
અહંકાર નો નમુનો છે. એ સામાજિક અહમ છે, જો તમને વ્યક્તિના રૂપે ક્ષુબ્ધ
બનાવે છે અને તમારા કર્મ સામાહુક કર્મનો એક હિસ્સો બની જાય છે. આપણે આને એક
વિશિષ્ઠ ઊંડાણથી સમજવું જરૂરી થઇ જાય છે.સારા અને નરસાની પરખ આપણે શીખ્યા
છીએ, આપણે જે સામાજિક પરિવેશમાં રહ્યા છે, ત્યાંથી આપણે એને ગ્રહણ કર્યું
છે. કર્મ આપના જીવનના સંદર્ભમાં હોય છે, અને નહિ કે કરેલ કાર્યોમાં.
Thursday, November 1, 2012
दर्शन गोष्टी - भारतीय संस्कृति की रक्षा
बहुत से विषयों में हमने संक्षिप्त मार्गों की तलाश की . व्यस्तता में इन मार्गों का अनुशरण करते अपने मंतव्य भी पूरे करने आरम्भ किये . श्रवण और दर्शन की जाने वाली सामग्रियों की इस तरह प्रचुरता के मध्य हमने इनमें भी संक्षिप्त मार्ग अपनाया . हमने स्वयं से निर्णय करने में कम समय लगाया , यह देखा दूसरे क्या पढ़ और देख रहे हैं , उसे अच्छा माना और उन्हीं सामग्रियों का इस हेतु उपयोग किया .
आधुनिक इन माध्यमों के जनक पाश्चात्य महादीप (यूरोप तथा अमेरिका ) थे . अतः इन माध्यमों पर वहां की जीवन शैली और संस्कृति की प्रचुरता थी . ये सब ज्यादा देख और पढ़ हम उसे सामान्य रूप में लेने लगे . जब इसे इस तरह स्वीकार करने लगे तो आचरण , व्यवहार और हमारे कर्मों में धीरे धीरे यह शैली आने लगी . चूँकि युवा वर्ग हमारी संस्कृति के विषय में कम देख और पढ़ पा रहा था, अतः अपनी भाषा , पहनावा , खानपान , जीवन शैली ,परम्पराओं और मर्यादाओं को तजने में कोई धर्म संकट या संकोच नहीं हुआ .
लोकप्रियता
, बहुमत की राय तो दर्शा रही थी लेकिन बौध्दिक स्तर नहीं प्रकट कर सकती थी
. बहुमत की राय यदि बौध्दिक स्तर की कमी के बाद है तो उसका औचित्य संदिघ्न
होता है .
लोकप्रियता के नाम मसालों की मात्रा और बढती चली
गयी . लगातार ऐसा देख इसे ही जीवन स्वरूप समझ हम संस्कृति , सिध्दांत और
परम्पराओं से दूर होते गए .
समय आया अब कम युवा ही हमारी संस्कृति ,जीवन शैली क्या थी क्या होना चाहिए इस पर विचार करते हैं .
Subscribe to:
Comments (Atom)