Tuesday, January 15, 2013

ઈશ્વરીય પ્રેમ

ઈશ્વરીય પ્રેમ 
પ્રાચીન કાલ માં એક રાજા નો એ નિયમ હતો કે એ અગણિત સન્યાસીઓને દાન આપ્યા બાદજ ભોજન ગ્રહણ કરતો હતો

એક દિવસ નિયત સમય થી પહેલાજ એક સન્યાસી પોતાનું નાનું ભિક્ષા પાત્ર લઇ દ્વાર પર આવી ઉભા રહ્યા, એમને રાજા ને કહ્યું - "રાજાન, જે સમભાવ હોય તો મારા આ નાના પાત્ર માં કંઇક ભીખ નાખી દો."

યાચક નાં આ શબ્દો રાજા ને ખાતાક્તા હતા પણ એમને કશું કહી નાતા શકતા. એને એમના સેવકોને કહ્યું એ પાત્ર ને સોના સિક્કાઓ થી ભરી દેવામાં આવે.

જેવા એ પાત્ર માં સોના નાં સિક્કા નાખવામાં આવ્યા, એ સિક્કા એમાં પડતાજ ગાયબ થઇ ગયા. આવું વારંવાર થયું. સાંજ સુધી રાજાનો પૂરો ખજાનો ખાલી થઇ ગયો પણ પેલું પાત્ર ખાલીજ રહ્યું. 

અન્રે રાજા પોતેજ યાચક ની સમક્ષ આવી હાથ જોડી પૂછ્યું કે "મને ક્ષમા કરો, હું સમજતો હતો કે મારે દ્વારે થી કડી કોઈ ખાલી હાથ નહિ જી શકે. હવે કૃપા કરી આ પાત્ર નું રહસ્ય મને જણાવો. એ ભરાતું કેમ નથી?"
સન્યાસીએ કહ્યું "આ પાત્ર મનુષ્ય નાં હૃદય થી બનેલું છે. આ સંસાર ની કોઈ પણ વસ્તુ મનુષ્ય નાં હૃદય ને ભરી શકતી નથી. મનુષ્ય ગમે એટલું નામ, યશ, શક્તિ, ધન, સૌન્દર્ય અને સુખ અર્જિત કરી લે પણ એ હંમેશા વધારેની ઈચ્છા રાખે છે. કેવળ ઈશ્વરીય પ્રેમજ આ પાત્ર ને ભરવું શક્ય છે."

No comments:

Post a Comment