Tuesday, January 15, 2013

મીઠા મધ નાં ગુણકારી નુસ્ખા

મીઠા મધ નાં ગુણકારી નુસ્ખા
* આદુ નાં રસ માં અથવા અડુંસાના રસમાં મધ મેળવીને લેવાથી ઉધરસ (ખાંસી) માં આરામ મળે છે.
* પાકી કેરીના રસ માં મધ મેળવીને પીવાથી કમળા માં રાહત  મળે છે.
* જે બાળકોને સાકાર (ખાંડ) ખાવાની મનાઈ હોય તેને મધ આપી શકાય.
* ઉલટી (વામન) થતી હોય ત્યારે પુદ્ના નાં રસ સાથે મધ નો પ્રયોગ લાભકારી રહે છે.
* શુષ્ક ત્વચા પર મધ, દુધની મલાઈ અને બેસન મેળવીને ચોપડવું. એનાથી ત્વચા ની શુષ્કતા દુર થશે અને ત્વચા લાવણ્ય મયી થશે.
* એક ગ્લાસ દૂધ માં સાકાર નાંખ્યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીર સુડોળ,  પુષ્ટ અને બળશાળી બને છે.  
* મધનું  નિત્ય સ્વન  જઠર અને આંતરડા ને બળ પ્રદાન કરે છે.
* કાંડા નો રસ અને મધ સમાન માત્રા માં મેળવી ચાટવાથી કફ નીકળી જાય છે અને આંતરડા માં જમા થયેલ બેક્ટેરિયા ને નષ્ટ કરે છે.
* હૃદય ની ધમનીઓ માટે મધ ઘણું શક્તિ વર્ધક છે. સુતી વખતે મધ અને લીંબુ નો રસ મેળવી એક ગ્લાસ પાણી પીવાથી કમજોર હૃદય માં શક્તિ નો સંચાર થાય છે.
* પેટ નાં નાના મોટા ઘા અને શરૂઆતી સ્થિતિ નાં અલ્સર માં મધને દૂધ સાથે લેવાથી સારા થઇ શકે છે.
* સુકી ઉધરસ માં મધ અને લીંબુ નો રસનું  સમાન માત્રા માં સેવન કરવાથી લાભ થાય છે.
* મધ થી માંસપેશીઓ બળવતી બને છે.
* વધેલા રક્તચાપ માં (હાઈ બ્લડ પ્રેશર) લસણ સાથે મધ નું સેવન કરવાથી લાભ થાય છે.
* આદુ અને મધ સમાન માત્રા માં લઈને ચાટવાથી શ્વાસ ની બીમારી દુર થાય છે, અને અટકડી (હિંચકી) બંધ થઇ જાય છે.
* સંતરા ની છાલ નું ચૂર્ણ બનાવી એમાં બે ચમચી મધ મેળવીને એનો લેપ તૈયાર કરી ચામડી પર લગાવવાથી ચામડી નીખારીને કાંતિવાન બને છે.
* કબજીયાત  માં ટામેટા અથવા સંતરા ના રસ માં એક ચમચી મધ નાખી સેવન કરવાથી લાભ થશે.

No comments:

Post a Comment