Tuesday, January 15, 2013

 ભાગવત સત્તા નો ઉદય - હંસ તીર્થ 
ભાગવત સત્તા નો ઉદય કેવળ લોકસત્તા, સૃષ્ટિ ની રચના અને સમય સમય પર એના વિનાશ માટેજ  નહિ પણ સમય સમય પર ભક્તો નાં કલ્યાણ નો માર્ગ પ્રશસ્ત કરવો પણ પ્રભુ માટે આવશ્યક છે. ભક્તો પર આવેલ સંકટ ની જાણકારી અને સૃષ્ટિ નું ન્યાય પૂર્ણ સંચાલન માટે આ સૂચનાઓ ને પહોંચાડવાનું દાયિત્વ નારદજી ને સોપવામાં આવ્યું હતું.
બ્રહ્માના માણસ પૂત્ર નારદ નું મંદિર સંગમ નગરી ઇલાહાબાદ માં આવેલ છે. નારદજી પાસે પોતાની જટિલ સમસ્યાઓ નું સમાધાન અને અનેકો અસાધ્ય કષ્ટો થી દુખી ભક્તજન પોતાના દુખો ની ગુહાર લગાવા આવે છે. અહી એવી માન્યતા છે કે ભક્તોના સંદેશાઓ ને સીધા ભગવાન સુધી પહોચાડવાનું દાયિત્વ નારદ મુની પાસે છે. 

પ્રયાગના સંગન તટ પર લાગતા મહાકુંભ નો પૂણ્ય પ્રતાપ ત્યારેજ મળે જ્યારે પાછા ફરતા આ હંસ તીર્થ નાં દર્શન કરવામાં આવે. 
પ્રયાગમાં ગંગા નાં પૂર્વી તટ પર સ્થિત આ હંસ તીર્થ નું વર્ણન મત્સ્ય પૂરાણ માં મળે છે. આ હંસ તીર્થની સંરચના પાન નાં આકાર ની છે. એનું નિર્માણ મનુષ્ય નાં આંતરિક શરીર ની માફક કરવામાં આવ્યું છે. હંસ નો અર્થ થાય મુક્તિ અને એજ કારણ કે એને મુક્તિનું નું ધામ પણ કહેવાય છે. હંસ તીર્થ માં શરીર નાં તમામ ૬ શક્તિ કેન્દ્રો ને દર્શાવવામાં આવ્યા છે. મંદિર નાં પૂજારીના કહેવા પ્રમાણે નારદ મુની નું આ એક માત્ર મંદિર છે જ્યાંથી જે  ભક્ત  હૃદય પૂર્વક અરજ કરે તો એની અરજ સીધી ભગવાન સુધી પહોંચે છે.
મત્સ્ય પૂરાણ માં એવું વર્ણન મળે છે કે અહી સ્થિત હંસ કુવાના  પાણી થી સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન આજ તીર્થરાજ પ્રયાગ માં કર્યું હતું. એમાં એમના પાંચેવ માણસ પૂત્રોએ એમને સહયોગ આપેલો. બ્રહ્માજીએ એમના ચારે પૂત્રો સનત, સનંદન, સનત કુમાર અને પર્વત ને ચારેવ દિશાઓમાં સૃષ્ટિ નિર્માણ નું કાર્ય સોંપ્યું અને એમના પાંચમાં પૂત્ર નારદ ને લોક કલ્યાણ નું કાર્ય સોંપ્યું . બ્રહ્માજી એ સૃષ્ટિના સંદેશવાહક નારદને નિયુક્ત કર્યા અને એમને પ્રયાગ ની આજ પાવન તીર્થ ભૂમિ પર નિવાસ કરવાનો આદેશ આપ્યો. ત્યારથી એમ માનવામાં આવે છે કે હંસ તીર્થમાં નારદ મુની નું નિવાસ સ્થાન છે. અહી દરેક ભક્ત પીપલા નું પાન અને કાગળ પર પોતાની ઈચ્છા અને મનોકામનાઓ ને લખીને નારદ મુની નાં આ મંદિર માં વાંચે છે. 
નારદ મુનીએ પ્રયાગ નાં આ હંસ તીર્થ માં ઘણા વર્ષો સુધી રહીને વિષ્ણુ ભગવાન ની આરાધના કરી હતી અને ૨૫ હજાર શ્લોકો વાલા પ્રસિદ્ધ નારદ પુરાણ નાં અમુક અંશો ની રચના આ તીર્થ માં કરી હતી. ભગવાન વિષ્ણ એ પ્રસન્ન થઇ નારદ ને બધા યુગો અને ત્રણે લોકો માં ક્યાય પણ પ્રકટ થઇ શકવાના આશીર્વાદ આપ્યા હતા.

No comments:

Post a Comment