Saturday, September 15, 2012

અગ્નિપરીક્ષા

ઘણા એવા લોકો જેને રામાયણ વિષે પૂરું જ્ઞાન નથી જેને રામાયણનો સાચો અર્થ નથી ખબર એ હમેશા એવી વાતો કરશે કે ભગવાન રામે સીતા માતાને પવિત્ર હોવા છતાં અગ્નિપરીક્ષા આપવા કેમ કહ્યું?
એમનો ઉદ્દેશ્ય બસ કુતર્ક કરીને સનાતન ધર્મ ની બુરાઈ કરવાનો છે.
ઘણા એવા લોકો પણ છે જેમને એનો સાચો અર્થ ખબર છે, પણ જેને નથી ખબર એવા લોકો આ વાંચે અને જેને નથી ખબર એવા લોકોને આ સત્ય થી વાકેફ કરી સૌનું જ્ઞાન વધારે.
ભગવાન શ્રી રામ વિષ્ણુ ના અવતાર હતા.
એમણે આ જન્મ એક મર્યાદા પુરષોત્તમ રૂપે લીધો હતો.
આ અવતાર તેઓ એવું જીવન જીવ્યા કે એવું જીવન દરેક પુરુષે જીવવું જોઈએ એવો દાખલો બેસે.
તેઓ ભગવાન હતા માટે તેઓને ભવિષ્યની દરેક ઘટનાઓનું જ્ઞાન હતું.
જ્યારે રાવણ દ્વારા સીતા માતા નું હરણ અને એની સાથે જોડાયેલી ઘટનાઓ ઘટવા માટેનો સમય નજીક આવ્યો ત્યારે એક દિવસ વન માં પોતાની ઝુપડીમાં સીતા માતા ને એનાથી જ્ઞાત કર્યા અને એમને કહ્યું કે:-
જનકલ્યાણ માટે હવે તેમને પોતાનાથી દુર કરવા પડશે.
આ બાજુ સીતા માતા પણ ધરતીમાતા ની પુત્રી હતા અને શ્રી રામ નાં ભાર્યા હતા અને આગળ જતા એમને ઘણા કષ્ટો સહન કરવાના આવશે માટે ત્યારે પ્રભુ શ્રી રામે અગ્નિ દેવતા ની સ્તુતિ કરી એમને કહ્યું કે:-
જ્યાં સુધી રાવણનો વધ ના થાય ત્યાં સુધી હું મારી પત્ની આપને સોંપું છું અને ત્યાં સુધી સીતા નું એક પ્રતિબિંબ આ સ્થાન પર મોકલી આપો જેનાથી આ તમામ ઘટનાઓ ને પૂર્ણ કરવામાં મને સહાયક  થાય.
ત્યારે અગ્નિ દેવે સીતા માતા ને સુરક્ષિત પોતાની પાસે બોલાવી લીધા અને લોકોને દેખાય માટે સીતા માતા નું એક પ્રતિબિંબ આ સંસાર માં આવી ગયું.
રાવણ વધ પછી જ્યારે સીતા માતા ને લંકા થી પાછા અયોધ્યા લઇ જવાના હતા ત્યારે પ્રભુએ સીતા માતાના પેલા  પ્રતિબિંબ ને અગ્નિ દેવ ને સોપી સીતા માતાને સકુશળ પોતાની સાથે અયોધ્યા લઇ ગયા.
આજ અસલ કારણ હતું સીતા માતા ની અગ્નિ પરીક્ષાનું તથા આ ઘટના થી સમાજ નાં લોકો ને એવો સંદેશ પણ અપાય કે નારી થી પવિત્ર બીજું કોઈ નથી. એક વિવાહિત નારી માટે એનો પતીજ પૂજનીય હોય છે અને એ બીજા કોઈ પુરુષ ને માટે વિચારતી પણ નથી.
નારીને પોતાની પવિત્રતા નું પ્રમાણ આપવા માટે અગ્નિપરીક્ષા આપવી પડે પણ તે પોતાની પવિત્રતા ક્યારેય નથી છોડતી.

No comments:

Post a Comment