Wednesday, January 16, 2013

"યમરાજ કેમ હસ્યા?

એક રાજ કુમારીનો સ્વયંવર થઇ રહ્યો હતો. એમાં ભાગ લેવા માટે દુર દુર થી રાજકુમાર આવ્યા હતા. રાજકુમારીએ પૂછ્યું - "યમરાજ કેમ હસ્યા? જે આ સવાલનો સટીક જવાબ આપશે, હું એની સાથે વિવાહ કરીશ. ત્યારે રાજ્કીમારી એ એક કથા સંભળાવી જે આ પ્રમાણે હતી- 
ભારત નાં સુદૂર દક્ષીણ માં એક વ્યક્તિ હતો જે જીવન ભાર ખરાબ કાર્યો માં લાગ્યો રહ્યો. જીવનના અંતિમ વર્ષો માં એની મુલાકાત એક જ્યોતિષી સાથે થઇ જેને એને જણાવ્યું કે આગલા જન્મે એ ઘોર નર્ક માં જશે. હા, એનાથી બચવા માટે એક રસ્તો છે. જો એ ગંગા સ્નાન કરી લે તો એના પાપો ધોવાઈ જશે. પણ ગંગા તો ઉત્તર માં વહે છે. એ સમયમાં યાતાયાત નાં સાધનો માં બળદ ગાડી અને ઘોદાજ હતા. છતાં એ ગમે તે રીતે ચાલી નીકળ્યો. ઘણા દિવસો સુધી ચાલતા રહેવા પછી એ ખુબજ થાકી ગયો અને અસ્વસ્થ પણ થઇ ગયો. ત્યાજ એક નાની નદી આવી. એને વિચાર્યું આજ ગંગા છે, એમાં સ્નાન કરી લીધું.  પણ પછી એને ખબર પડી કે આ તો કોઈ બીજીજ નદી છે. એ પાછો આગળ વધ્યો કે ત્યારે એનું મૃત્યુ થઇ ગયું. એ યમલોક પહોંચ્યો. યમરાજે ચિત્રગુપ્ત પાસે આ વ્યક્તિ નાં લેખા જોખા રજુ કરવા કહ્યું. ચિત્રગુપ્તે કહ્યું ગંગા માં સ્નાન કરવાને કારણે એના બધા પાપો ધોવાઈ ગયા છે. ત્યારે પેલા વ્યક્તિ વિરોધ કર્યો કે સાચું નથી. મેં તો ગંગા માં સ્નાન કર્યુજ નથી, એના પર યમરાજ હસ્યા. કથા સમાપ્ત કરીને રાજકુમારીએ પેલો પ્રશ્ન દોહરાવ્યો.બધા રાજકુમાર એક બીજાને જોવા લાગ્યા, ત્યાજ ખૂણા માં બેઠેલા એક સાધારણ યુવકે એનો ઉત્તર આપ્યો - 'ઈશ્વર બાહરી આડંબર ને નથી જોતા, એ તો હૃદય થી ઝાંકીને જોય છે. પેલા વ્યક્તિએ ભલે કોઈ સ્થાનીય નદી માં સ્નાન કર્યું પણ એની નજર માં તો એ ગંગા જ હતી, એ માંથી નિર્દોષ હતો. આ સાંભળી રાજકુમારીએ યુવક નાં ગળા માં વરમાળા પહેરાવી દીધી. 

No comments:

Post a Comment