Thursday, January 17, 2013

સૌથી ઉત્તમ જળ કયું?

એક દિવસ બુદ્ધે પોતાના શિષ્યોને અચાનક એક પ્રશ્ન કર્યો  - "તમારા માંથી કોઈ એ જણાવી શકાશે કે સૌથી ઉત્તમ જળ કયું?" એક શિષ્યે તત્કાલ ઉત્તર આપ્યો - 'ગંગાજળ'. બુદ્ધે નકારાત્મક મુદ્રા માં માથું હલાવ્યું. બીજા શિષ્ય કહ્યું 'જમીન પર પાડવા પહેલા નું વર્ષાજળ'. બુદ્ધ એના થી પણ અસહમત થયા. ત્રીજા એ કહ્યું 'ઉષાકાળ નાં કિરણો માં ચમકતું ઓસ-જળ'. બુદ્ધ એના સાથે પણ સહમત ના થયા. ચોથા શિષ્ય નાં માટે વિખુટા પડેલા પુત્ર સાથે મુલાકાત સમયે માં ની આંખો માંથી આવતું 'અશ્રુજળ', પાંચમાં શિષ્ય એ કહ્યું ફરેબ(આડે રસ્તે)  થી ભેગું કરેલું એકઠું ધનને જોઈ ને મરણાસન ધણી ની આંખો માં પશ્ચાતાપ સ્વરૂપ નીકળતા આંસુ. બુદ્ધ ફરી બોલ્યા- "નહિ, એનાથી અધિક વંદનીય અને પવિત્ર જળ છે." ઘણીવાર થી મૌન બેઠેલા શિષ્ય આનંદે કહ્યું, 'શિયાળો, ઉનાળો, ચોમાસામાં રાત દિવસ કઠોર પરિશ્રમ કરી આપણે માટે અન્ન પેદા કરનારા કિસાન નું શ્રમ જળ એ સૌથી ઉત્તમ જળ છે.' આ ઉત્તર સાંભળી બુદ્ધ નાં ચહેરા પર સંતુષ્ટિ ની આભા ફેલાઈ ગઈ અને એમણે આનંદ ને આશિષ આપ્યા.  

No comments:

Post a Comment