Thursday, January 17, 2013

જામફળ અથવા જમરૂખ


- આ એક ખુબજ નરમ ફળ છે અને એના બીયા ખુબજ કડક હોય છે, પણ આ બીયા પેટને માટે ઘણા સારા છે, રેચન કરનારા હોય છે. આ ફાળા ને ગોળ કાતળી કરીને કાપવા અને પછી ચારો તરફ થી એનું ઉપર નું આવરણ સરખું ચાવીને ખાઈ જવું અને એના બીયા ને અધ-કચરા ચાવી ને ગલી જવા, ખરે ખર તો એના બીયા ચાવવા કરતા તો એને ગલી જવું સારું.
- આ ફળ હૃદયને મજબુતી પ્રદાન કરનારું અને ઘભારામાન દુર કરનારું છે.
- એ મગજશક્તિ વધારનારું ફળ છે.
- એ શરીર ની નબળાઈ દુર કરી ઉર્જા આપે છે.
- એ મન ને પ્રસન્નતા પ્રદાન કરે છે.
- એ દાહ (પેટમાં થતો દાઝારો) ઓછો કરે છે.
- એને નામક (મીઠું) સાથે ખાવાથી પેટમાં ના કીડાને ખતમ કરે છે.
- એના પાંદડાઓ તાવ, કફ ને દુર કરે છે અને ઉધરસમાં લાભદાયક છે
- અવાળા નો દુખાવો માટે અને મોઢાની ચાંદી પર એના પાન્દાદાઓને કુટીને એમાં લવિંગ નો ચૂરો અને સિંધાલુણ મેળવી ને લગાવવું.
- મોઢામાં પડેલ ચાળા માટે એના પાંદડાઓ ચાવીને થૂંકી દેવા અથવા ગલી જવા.
- એના પાંદડાઓ ના રસથી ભંગ નો નશો ઓછો થાય છે.
- સંગ્રહની અથવા કોલાઈટીસ અથવા લીવર ની તકલીફ માં એના પાંદડાઓ, છાલનો પાવડર અને થોડી સુંઠ ઉકાળીને લેવી.

No comments:

Post a Comment