Thursday, June 21, 2012

ભારત દેશ નું પ્રાચીન નામ આર્યાવર્ત

આર્યાવર્ત થી પહેલા એનું કોઈ નામ ન  હતું. ક્યાંક ક્યાંક જંબુદ્વિપ નો ઉલ્લેખ મળે છે. ઘણા લોકો નું એવું માનવું છે કે એને 'અજ્નાભ ખંડ' પણ કહેવાતું હતું.અજ્નાભ ખંડ નો અર્થ બ્રહ્મા ની નાભી થી ઉત્પન્ન. પણ વેદ-પુરાણ અને અન્ય ધર્મગ્રંથો ની સાથે વૈજ્ઞાનિક શોધો નું અધ્યયન કરીએ તો ખ્યાલ આવે છે કે મનુષ્ય અને અન્ય જીવ-જંતુઓ ની વર્તમાન આદિ સૃષ્ટિ (ઉત્પત્તિ) હિમાલય ની આસપાસ ની ભૂમિ પરજ થઇ છે જેમાં તિબ્બેટ ને અધિક મહત્વ આપવામાં આવેલ છે કારણ કે એ વિશ્વ નો સૌથી ઉંચો વિસ્તાર છે. હિમાલય ની નજીક હોવાથી પૂર્વ માં ભારત વર્ષ ને હિમવર્ષ પણ કહેવામાં આવતું હતું.
વેદ-પુરણ માં તિબ્બેટ ને ત્રીવીષ્ટીપ કહ્યું છે. મહાભારત ના મહાપ્રસ્થાનીક પર્વ માં સ્વર્ગારોહણ માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તિબ્બેટ ને હિમાલય ના એ રાજ્ય માં કહેવાયું છે જેમાં નાન્દાન્કાનન નામક દેવરાજ ઇન્દ્ર નો દેશ હતો. એના પરથી સિદ્ધ થાય છે કે ઇન્દ્ર સ્વર્ગ માં નહિ ધરતી પરજ હિમાલય વિસ્તાર માં રહેતા હતા. ત્યાજ શિવ અને અન્ય દેવતા પણ રહેતા હતા.પૂર્વ માં આ ધરતી જળ પ્રલય થી જળ થી ઢંકાય ગયેલી. કૈલાશ, ગૌરી-શંકર ની ચોટી સુધી પાણી ચઢી ગયેલું. આનાથી એ સિદ્ધ થાય છે કે સંપૂર્ણ ધરતી જલ્માંગના થઇ ગયેલી, પણ વિદ્વાનો માં આ વિષયે ઘણા મતભેદ છે. ઘણા નું માનવું છે કે ક્યાંક ક્યાંક ધરતી જલ્માંગના ન હતી થઇ. પુરાણો માં ઉલ્લેખ છે કે જળપ્રલય ના સમયે ઓમકારેશ્વર સ્થિત માર્કંડેય ઋષિ નો આશ્રમ જળ પ્રલય થી અછુતો રહ્યો હતો. ઘણા મહિનાઓ સુધી વૈવસ્ત માનું (જેને શ્રદ્ધાદેવ પણ કહેવાતા) દ્વારા હોળી માજ વિતાવ્યા બાદ ગૌરી-શંકર શિખર થી થઇ નીચે ઉતારી હતી. ગૌરી-શંકર શિખર  જેને એવેરેસ્ટ નું શિખર પણ કહેવાય છે. દુનિયા માં આનાથી ઊંચું બરફથી ઢંકાયેલ બીજો કોઈ પહાડ નથી.
તિબ્બેટ માં ધીરે ધીરે જન્શંખ્યા વૃદ્ધિ અને વાતાવરણ થયેલા પરિવર્તન ને કારણે વૈવસ્ત માનું ના સંતાનોએ અલગ-અલગ ભૂમિ તરફ રુખ કરવા માંડ્યા. વિજ્ઞાન માને છે કે પહેલા બ અધા દ્વીપો સાથે હતા. અર્થાત અમેરિકા દ્વીપ અહી આફ્રિકા સાથે અને ત્યાં ચીન તથા રૂસ સાથે જોડાયેલ હતા. આફ્રિકા ભારત સાથે જોડાયેલ હતો. ધરતી ની ભ્રમણ ગતિ અને ભૂગર્ભીય પરિવર્તને ધરતી દ્વીપો માં વહેચાઈ ગઈ.આજ અખંડ ધરતી પર હિમાલય ની નિમ્ન શિખર માળાઓ ને પાર કરી માનું ના સંતાનો હિમાલય ની તળેટી માં આવી વસવાટ કરવા લાગ્યા. પછી જેમ જેમ સમુદ્રનું જળસ્તર ઘટતું ગયું તેઓ મધ્ય ભાગ માં આવી વસવાટ કરવા લાગ્યા. રાજસ્થાન નું રણ એ વાત નું પ્રમાણ છે કે ક્યારેક અહી સમુદ્ર હતો. દક્ષીણ ના વિસ્તારો તો જળપ્રલય થી જળમગ્ન જ હતા. પણ લાંબા સમય બાદ ધીરે ધીરે જેમ જેમ સમુદ્ર નું જળસ્તર ઘટતા માનું ના કુલ ના પશ્ચિમી, પૂર્વી અને દક્ષિણી મેદાન અને પહાડી પ્રદેશો ફેલાઈ ગયા. જે હિમાલય ની આ તરફ ફેલાતા ગયા તેઓએજ અખંડ ભારત ની સંપૂર્ણ ભૂમિ ને બ્રહ્માવર્ત, બ્રહ્માર્ષીદેશ, માધ્યાદેશ, આર્યાવર્ત અને ભારતવર્ષ આદિ નામો આપ્યા. જે અહી આવ્યા એ બધા મનુષ્ય આર્ય તરીકે ઓળખાવા લાગ્યા. આર્ય એક ગુણ વાચક શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે 'શ્રેષ્ઠ'. આજ લોકો સાથે વેદ લઇ ને આવ્યા. આનાથી એ ધારણા પ્રચલિત થઇ કે દેવભૂમિ પરથી વેદ ધરતી પર ઉતર્યા. સ્વર્ગ થી ગંગા ને ઉતાર્યા આદિ અને ધારણાઓ. આ આર્યો ના જુદા જુદા સમૂહ પૂરી ધરતી પર ફેલાઈ ગયા, અને ત્યાં રહીને ભણતી ભણતી ને ધર્મ અને સંસ્કૃતિ ને જન્મ આપ્યો, મનુના સંતાનોજ આર્ય-અનાર્ય માં વાહન્ચાયી ને ધરતી પર ફેલાઈ ગયી. પહેલા આજ બધા દેવ-દાનવ કહેવાતા હતા. આ ધરતી આજે પણ જે મનુષ્ય છે એ બધા વૈવસ્ત માનું નાજ સંતાનો છે, આ વિષયે વિદ્વાનો માં મતભેદ છે જે હવે સંશોધન નો વિષય છે.
ભારતીય પુરાણકાર સૃષ્ટિ નો ઈતિહાસ કલ્પમાં અને સૃષ્ટિ માં માનવ ઉત્પત્તિ અને ઉત્થાન નો ઈતિહાસ મન્વન્તરો વર્ણિત કરે છે. અને એના પછી મન્વન્તરો નો ઈતિહાસ યુગ-યુગાંતારો માં બતાવે છે.
પ્રાચીન ગ્રંથો માં માનવ ઈતિહાસ ને પાંચ કલ્પો માં વહેંચવામાં આવ્યો છે, (૧) હમત કલ્પ ૧ લાખ ૯ હજાર ૮ સો વર્ષ વિક્રમ પહેલા થી આરંભ થઇ ૮૫૮૦૦ વર્ષ પહેલા સુધી, (૨) હિરણ્ય ગર્ભ કલ્પ ૮૫૮૦૦ વિક્રમ પહેલા થી ૬૧૮૦૦ વર્ષ પહેલા સુધી,(૩) બ્રહ્મા કલ્પ ૬૧૮૦૦ વિક્રમ પહેલા થી ૩૭૮૦૦ વર્ષ પહેલા સુધી (૪) પદ્મ કલ્પ ૩૭૮૦૦ વિક્રમ પહેલા થી ૧૩૮૦૦ વર્ષ પહેલા સુધી અને (૫) વરાહ કલ્પ ૧૩૮૦૦ વિક્રમ પહેલા થી અત્યાર સુધી ચાલુ છે. હવે વરાહ કલ્પ ના સ્વયંભુ માનું, સ્વરોચીશ માનું, ઉત્તમ માનું, તમામ માનું, રેવત માનું, ચાક્ષુષ માનું તથા વૈવસ્ત માનું ના મન્વન્તર વીતી ચુક્યા છે અને હવે વૈવસ્ત માનું તથા સાવાર્નીમ માનું ની આંતર દશા ચાલી રહી છે. સ્વાર્નીમ માનું નો આવિર્ભાવ વિક્રમ સંવત પ્રારંભ ના ૫૬૩૦ વર્ષ પૂર્વે થયો હતો. 
(ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રિકાર્ડ્સ દ્વારા કલ્પ ના સમય ને સર્વાધિક લાંબો માપન ઘોષિત કર્યો છે.)
-શ્રી રામ શર્મા આચાર્ય (ગાયત્રી શક્તિ પીઠ)
ત્રીવીષ્ટીપ અર્થાત તિબ્બેટ યા દેવલોક થી વૈવસ્ત માનું ના નેતૃત્વ માં પ્રથાન પેઢી ના માનવો (દેવો) નો મેરુ પ્રદેશ માં અવતરણ થયું. તેઓ દેવ સ્વર્ગ માંથી અથવા અંબર થી (આકાશ) થી પવિત્ર વેદ પુસ્તક પણ સાથે લાવ્યા. આમાંથીજ શ્રુતિ અને સ્મૃતિ ની પરંપરા ચાલતી રહી. વૈવસ્ત માનું ના સમય માજ ભગવાન વિષ્ણુ એ મત્સ્ય અવતાર લીધો હતો. વૈવસ્ત મનુ ની શાસન વ્યવસ્થા માં દેવો માં પાંચ પ્રકાર ના વિભાજન હતા : દેવ, દાનવ, યક્ષ, કિન્નર અને ગંધર્વ. વૈવસ્ત મનુ ના દસ પુત્રો હતા. ઈલ, ઈક્ષ્વાકુ, કુશ્નામ, અરિષ્ટ, ધૃષ્ટ, નરીષ્યંત, કરુષ, મહાબલી, શર્યાતી, અને પૃશાધ. એમાં ઈક્ષ્વાકુ કુળ નોજ વધુ વિસ્તાર થયો હતો. ઈક્ષ્વાકુ કુળ માં ઘણા મહાન પ્રતાપી રાજા, ઋષિ, અરીહંત અને ભગવાન થયા હતા.

No comments:

Post a Comment