Tuesday, March 12, 2013

આઝાદી ની હવા

એક ગામ માં એક માણસ પોતાના પાળેલા પોપટ સાથે રહેતો હતો, એકવાર જ્યારે પેલો માણસ કોઈ કામ માટે બીજા ગામ જી રહ્યો હતો, ત્યારે એના પોપટે એને કહ્યું - માલિક, આપ જ્યાં જઈ રહ્યો છે ત્યાં મારો ગુરુ-પોપટ રહે છે. એને માટે મારો એક સંદેશ લઇ જશો?
કેમ નહિ ! પેલા માણસે કહ્યું, પોપટે કહ્યું મારો સંદેશો છે : આઝાદ હવામાં શ્વાસ લેનારાને નામ એક બંદી પોપટના પ્રણામ. એ માણસ બીજે ગામ પહોંચ્યો અને ત્યાં પેલા ગુરુ-પોપટ ને પોતાના પ્રિય પોપટનો સંદેશો કહ્યો, સંદેશ સાંભળી ગુરુ-પોપટ તળાપ્યો, ફળ્ફાડ્યો અને મારી ગયો.
જ્યારે પેલો માણસ પોતાનું કામ પતાવી પાછો ફર્યો, તો પેલા પોપટે પૂછ્યું 'શું મારો સંદેશ ગુરુ-પોપટને કહ્યો હતો ને ? માણસે પોપટને આખી વાત કહી સંભળાવી કે જેવો સંદેશ કહ્યો કે કેવી રીતે પેલો ગુરુ-પોપટ સંદેશો સાંભળતાજ મૃત્યુ પામ્યો હતો. આ વાત સાંભળી આ પોપટ પણ તડપ્યો, ફફડ્યો  અને મારી ગયો...
પેલા માણસે ખુબજ ઉદાસ મને પેલા પોપટ ને પિંજારા માં થી બહાર કાઢ્યો અને એના દાહ સંસ્કાર કરવા જવા લાગ્યો, જેવું પેલા માલિક નું  થોડું ધ્યાનભંગ થયું પેલો પોપટ તરત ઉડી ગયો અને જતા જતા એને માલિક ને કહ્યું - "મારા ગુરુ-પોપટે મને સંદેશો મોકલ્યો હતો કે જો આઝાદી ની હવા માં શ્વાસ લેવા ચાહતા હોવ તો એને માટે નિર્ભય થઈને મરતા સીખી  લો....
एक गांव में एक आदमी अपने तोते के साथ रहता था, एक बार जब वह आदमी किसी काम से दूसरे गांव जा रहा था, तो उसके तोते ने उससे कहा – मालिक, जहाँ आप जा रहे हैं वहाँ मेरा गुरु-तोता रहता है. उसके लिए मेरा एक संदेश ले जाएंगे ?
क्यों नहीं ! – उस आदमी ने जवाब दिया, तोते ने कहा मेरा संदेश है-: आजाद हवाओं में सांस लेने वालों के नाम एक बंदी तोते का सलाम | वह आदमी दूसरे गांव पहुँचा और वहाँ उस गुरु-तोते को अपने प्रिय तोते का संदेश बताया, संदेश सुनकर गुरु- तोता तड़पा, फड़फड़ाया और मर गया ..
जब वह आदमी अपना काम समाप्त कर वापस घर आया, तो उस तोते ने पूछा कि क्या उसका संदेश गुरु-तोते तक पहुँच
गया था, आदमी ने तोते को पूरी कहानी बताई कि कैसे उसका संदेश सुनकर उसका गुरु तोता तत्काल मर गया था |
यह बात सुनकर वह तोता भी तड़पा, फड़फड़ाया और मर गया |
उस आदमी ने बुझे मन से तोते को पिंजरे से बाहर निकाला और उसका दाह-संस्कार करने के लिए ले जाने लगा, जैसे ही उस
आदमी का ध्यान थोड़ा भंग हुआ, वह तोता तुरंत उड़ गया और जाते जाते उसने अपने मालिक को बताया –
"मेरे गुरु-तोते ने मुझे संदेश भेजा था कि अगर आजादी चाहते हो तो पहले मरना सीखो" . . . . . . . .
बस आज का यही सन्देश कि अगर वास्तव में आज़ादी की हवा में साँस लेना चाहते हो तो उसके लिए निर्भय होकर मरना सीख लो . . .

No comments:

Post a Comment